Site icon Revoi.in

આ 5 મૂર્તિઓ ઘરમાં રાખો,તમારું ઘર Positivity થી ભરાઈ જશે

Social Share

ઘરમાં રહેલી ઉર્જા તમારા જીવન પર પણ અસર કરે છે.બહુ ઓછા લોકો જાણે છે કે આ ઉર્જા તમારા જીવનમાં સકારાત્મકતા લાવે છે.અહીં કેટલીક વસ્તુઓ ઘરમાં નકારાત્મક ઉર્જા લાવે છે તો કેટલીક વસ્તુઓ ઘરમાં સકારાત્મકતા પણ લાવે છે.વાસ્તુશાસ્ત્રમાં કેટલીક એવી મૂર્તિઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જે તમારા ઘરમાં સકારાત્મક ઉર્જા લાવે છે.તો ચાલો જાણીએ તેમના વિશે..

ઘરમાં ઘોડાની મૂર્તિ રાખવી ખૂબ જ શુભ માનવામાં આવે છે.આ મૂર્તિને તમે ઘરની ઉત્તર દિશામાં રાખી શકો છો.આ મૂર્તિ રાખવાથી તમને દરેક ક્ષેત્રમાં સફળતા મળશે.નોકરી ધંધામાં પ્રગતિ મેળવવા માટે પણ આ મૂર્તિ ખૂબ જ શુભ માનવામાં આવે છે.ઘરમાં પણ સુખ રહે છે.

ઘરમાં હાથીની મૂર્તિ રાખવી પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે.કારણ કે હાથીને ઐશ્વર્યનું પ્રતિક માનવામાં આવે છે.એવું માનવામાં આવે છે કે,તેને ઘરમાં રાખવાથી સકારાત્મક ઉર્જા આવે છે.આ સિવાય પૈસાના નવા રસ્તાઓ પણ ખુલે છે.બેડરૂમમાં હાથી રાખવાથી પણ વિવાહિત જીવનમાં ખુશીઓ આવે છે.

ઘરમાં કાચબો રાખવો પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે.પ્રગતિ અને પૈસા માટે તમે ઘરમાં કાચબાની મૂર્તિ રાખી શકો છો.તેનાથી ઘરના સભ્યોની ઉંમર પણ વધે છે.તમે ઘરની પૂર્વ-ઉત્તર દિશામાં કાચબો રાખી શકો છો.

ઘરમાં હંસની જોડી રાખવી પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે.ઘરમાં કાચબો રાખવાથી પણ સુખ-સમૃદ્ધિ આવે છે.એવું માનવામાં આવે છે કે,આનાથી પરિવારના સભ્યો વચ્ચે પ્રેમ અને સદભાવ પણ વધે છે.

ઘરમાં ગાયની મૂર્તિ રાખવી પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે.તમે ઘરમાં પિત્તળની બનેલી ગાયની મૂર્તિ રાખી શકો છો.તેનાથી મનને શાંતિ મળશે.આ ઉપરાંત ગાયની મૂર્તિ રાખવાથી બાળકોને અભ્યાસમાં પણ રસ પડે છે.