Site icon Revoi.in

જાણો દરિયાની અંદર જ આવેલા આ નાનકડા તળાવ વિશે, જેમાં ડૂબકી લગાવતાની સાથે મળે છે મોત

Social Share

વિશ્વભરના સમુદ્ર રહસ્યોથી ભરેલા છે.ત્યારે હવે  વૈજ્ઞાનિકોએ લાલ સમુદ્રમાં એક વિશાળ તળાવની શોધ કરી છે જે જીવલેણ સાબિત થયું છે. આ તળાવમાં તરવૈયા અંદર ડૂબકી મારતાની સાથે જ  મૃત્યુ પામે છે અથવા બેભાન થઈ જાય છે. મિયામી યુનિવર્સિટીની ટીમે આ પૂલની શોધ કરી છે.

આ ટીમના સભ્ય પ્રોફેસર સેમ પુરકિસે આ તળાવ વિશે કહે છે કે તળાવમાં ઓક્સિજન બિલકુલ નથી અને ખારાશ ઘાતક સ્તરે રહેલી છે. જેના કારણે તળાવની અંદર જતો જીવ તરત જ મૃત્યુ પામી જાય છે અથવા બેભાન થઈ જાય છે. આ ખતરનાક તળાવ દરિયાની ઊંડાઈમાં હાજર છે અને તે દરિયાઈ જીવો માટે મૃત્યુની જાળ સમાન છે.

જો કે  આ તળાવમાં પ્રાણીઓની ચામડી લાંબા સમય સુધી એવીને એવી  જ રહે છે. આ શોધ કરનાર વૈજ્ઞાનિકોને એક કરચલો મળ્યો જે આઠ વર્ષ પહેલા મરી ગયો હતો. પરંતુ તેની ત્વચા પહેલા જેવી જ હતી. આ તળાવમાં માત્ર ઓક્સિજન અને ખારાશના ઘાતક સ્તરનો અભાવ નથી, પરંતુ તેમાં હાઇડ્રોજન સલ્ફાઇડ જેવા ઘણા ઝેરી રસાયણો પણ છે. જેના કારણે પશુઓના મૃત્યુ થાય છે.

સેમ પુર્કિસે લાઈવ સાયન્સ સાથે વાત કરી અને આ શોધનો ખુલાસો કર્યો. તેમણે કહ્યું કે આ શોધ એ શોધવામાં મદદ કરી શકે છે કે આપણા ગ્રહ પર પ્રથમ મહાસાગરો કેવી રીતે રચાયા હતા. તેઓ કહે છે કે આત્યંતિક પરિસ્થિતિઓમાં જીવતા જીવોની શોધ પૃથ્વી પર જીવનની મર્યાદા જાણવામાં મદદ કરી શકે છે.

બ્રાઈન પૂલ સામાન્ય રીતે સમુદ્રના તળ પર જોવા મળે છે જ્યાં જીવન અસ્તિત્વમાં નથી. પરંતુ સૂક્ષ્મજીવો આ તળાવોમાં રહે છે. બ્રાઈન પૂલનો ઉપયોગ કેટલાક જીવો જીવન માટે કરે છે. ઉદાહરણ તરીકે, તળાવોમાં જોવા મળતા મસલ્સ મિથેનનો ઉપયોગ કરે છે અને તેને કાર્બન સુગરમાં રૂપાંતરિત કરે છે. આ સમુદ્ર 1770 મીટરની ઊંડાઈએ મળી આવ્યો છે, જેની શોધ માટે વૈજ્ઞાનિકોની ટીમે રિમોટ અંડરવોટર વાહનનો ઉપયોગ કર્યો છે.