- લીલી ડુંગળીમાં ઉચ્ચ પોષક તત્વો હોય છે
- લીલી ડુંગળી સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક
- અનેક ખતરનાક રોગોથી બચી શકાય છે
અમદાવાદ: લીલા પાંદડાવાળા ડુંગળી આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક હોઈ શકે છે, તેને કાચી અથવા રાંધીને પણ ખાઈ શકાય છે. લીલી ડુંગળીમાં ઉચ્ચ પોષક તત્વો હોય છે. જે સ્વાસ્થ્ય માટે ખૂબ સારું માનવામાં આવે છે. તેમાં વિટામિન એ, વિટામિન સી, વિટામિન બી 2, વિટામિન કે, કોપર, મેગ્નેશિયમ, ક્રોમિયમ, ફોસ્ફરસ અને ઉચ્ચ માત્રામાં ફાઇબર સામેલ છે. તો ચાલો જાણીએ લીલી ડુંગળી ખાવાથી શું ફાયદા થાય છે ….
ઈમ્યુનિટીને વધારે છે
લીલી ડુંગળી આપણી પ્રતિરક્ષા વધારવામાં મદદ કરે છે. સામાન્ય રીતે ઠંડીમાં શરદી- ઉધરસ અને એલર્જીની સમસ્યા વધવા લાગે છે, પરંતુ જો લીલી ડુંગળીને આહારમાં સામેલ કરવામાં આવે તો તે રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે.
શરદી અને ફ્લૂથી બચાવવામાં મદદગાર
લીલી ડુંગળી એન્ટીબેક્ટેરિયલ અને એન્ટિવાયરલ ગુણથી ભરપુર છે, જે વાયરલ તાવ અને ફલૂ સામે લડવામાં પણ અસરકારક છે. સાથો-સાથ શરીરમાં કફ બનવાની પ્રક્રિયાને રોકે છે.
ડાયાબિટીઝને નિયંત્રણમાં રાખે છે
લીલી ડુંગળીમાં ક્રોમિયમની માત્રાને લીધે તે આપણા લોહીમાં ખાંડનું સ્તર નિયંત્રિત કરે છે. સાથો-સાથ તે ગ્લુકોઝ સહનશીલતામાં સુધારો કરે છે.
હૃદય માટે ફાયદાકારક
આ ડુંગળીમાં જોવા મળતું વિટામિન સી બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખવાનું કામ કરે છે. જે હૃદયને લગતી બીમારીઓનું જોખમ ઘટાડે છે. તેનો નિયમિત ઉપયોગ કરવાથી હ્રદય સંબંધી રોગોનું જોખમ ઓછું થાય છે.
પાચન યોગ્ય કરે છે
લીલી ડુંગળી પેટને લગતી સમસ્યાઓથી રાહત આપે છે. તેમાં ફાઇબરની માત્રા વધુ હોય છે. જે પાચન તંત્રને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.
કેન્સરનું જોખમ ઓછું કરે છે
તેમાં મળતી સલ્ફરની માત્રા વધારે હોવાને કારણે તે કેન્સરનું જોખમ ઘટાડે છે. આ ડુંગળીમાં પેક્ટીન મીઠું તત્વ હોય છે, જે એક પ્રકારનું પ્રવાહી કોલોઇડલ કાર્બોહાઇડ્રેટ છે. જે પેટના કેન્સરને રોકવામાં મદદ કરે છે.
આંખો માટે સારી
વિટામિન એ ની પુષ્કળ માત્રાને લીધે લીલી ડુંગળી આંખોનો પ્રકાશ વધારે છે. અને આંખોની કોઈપણ પ્રકારની સમસ્યાથી રાહત આપે છે. તે આંખોની આસપાસની કરચલીઓ પણ દૂર કરે છે.
-દેવાંશી

