Site icon Revoi.in

વિતેલા દિવસની તુલનામાં કોરોનાના કેસોમાં થોડો વધારો – 24 કલાકમાં 5 હજારથી વધુ કેસ નોંધાયા

Social Share

દિલ્હીઃ- દેશભરમાં કોરોનાના કેસોમાં વધઘટ નોંધાઈ રહી છે ,જો કે છેલ્લા ઘણા સમયથી કોરોનાના દૈનિક કેસો 5 હજાર આસપાસ નોંધાઈ રહ્યા છે જે જોતા કહી શકાય કે કોરોનામાં રાહત મળી છે જો કે છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા કેસમાં વિતેલા દિવસની સરખામણીમાં થોડા વધારો નોંધાયો છે.

જો દેશમાં છેલ્લા 24 કલાકની વાત કરવામાં આવે તો આ દરમિયાન કુલ 5 હજાર 443 નવા કેસો નોંધાયા છે આ સાથે જ સક્રિય કેસો હવે 47 હજારની અંદર આવી પહોંચ્યા છે.હાલ દેશમાં સક્રિય કેસોની સંખ્યા 46 હજાર 342 પર આવી ચૂકી છે.આ સાથે જ દેશભરમાં છેલ્લા 24 કલાકમાં 26 કોરોનાના દર્દીઓના મોત પણ નોંધાયા છે.

આરોગ્ય મંત્રાલયની માહિતી પ્રમાણે હાલ દેશમાં સક્રિય દર્દીઓની સંખ્યા કુલ કેસના 0.10 ટકા જોવા મળી રહહી  છે, જ્યારે  કોરોનામાંથી સાજા થવાનો રાષ્ટ્રીય દર વધીને 98.71 ટકા થઈ ગયો છે. 

આ સાથે જ છેલ્લા 24 કલાકમાં સક્રિય દર્દીઓની સંખ્યામાં 126નો વધારો થયો છે. તો બીજ તરફ દેશમાં દૈનિક સંક્રમણ દર 1.61 ટકા અને સાપ્તાહિક ,સંક્રમણ દર 1.73 ટકા જોવા મળી રહ્યો છે.