Site icon Revoi.in

આ આદતોથી ગુસ્સે થાય છે માતા લક્ષ્મી,ગરીબીથી બચવું હોય તો ભૂલથી પણ ન કરો આ કામ

Social Share

તિજોરી હંમેશા ભરેલી હોવી જોઈએ,પૈસાની કોઈ કમી ન હોવી જોઈએ, આ વિચારથી વ્યક્તિ જીવનભર સખત મહેનતમાં વ્યસ્ત રહે છે. મહેનતની સાથે સાથે તે માતા લક્ષ્મીને મનાવવા માટે પૂજા, ઉપવાસ સહિતના તમામ પ્રયાસો કરે છે. પરંતુ બધું કર્યા પછી પણ ઘણી વખત તેઓ એવી જ હાલત રહે છે. રોજબરોજના જીવનમાં જાણ્યે-અજાણ્યે ઘણી વખત આપણે એવા પ્રયાસો કરીએ છીએ, જેના કારણે ધનની દેવી લક્ષ્મી નારાજ થઈ જાય છે. એવી કઈ ભૂલો છે જે ભૂલથી પણ ન કરવી જોઈએ.

સ્ત્રીઓનું અપમાન

સ્ત્રીઓને લક્ષ્મીનું સ્વરૂપ કહેવામાં આવે છે. જે ઘરોમાં સ્ત્રીઓનું સન્માન નથી થતું, તેમનું અપમાન કરવામાં આવે છે, ત્યાં લક્ષ્મી લાંબો સમય રહેતી નથી, પૈસાની તંગી આવવા લાગે છે. એટલા માટે સ્ત્રીઓનું હંમેશા સન્માન કરવું જોઈએ.

આળસ અને મોડા સુધી સૂવું

માતા લક્ષ્મીને આવા ઘરોમાં રહેવું પસંદ નથી, જ્યાં આળસુ લોકો રહે છે. આળસુ લોકો સાથે લક્ષ્મી લાંબો સમય ટકતી નથી. જે લોકો સૂર્યોદય સુધી સૂતા રહે છે તે આસુરી સ્વભાવના માનવામાં આવે છે. માતા આવા લોકો પર ગુસ્સે થાય છે.

ગંદકીમાં રહેવું

જે લોકો ઘરમાં સાફ-સફાઈનું ખાસ ધ્યાન નથી આપતા અને દરેક જગ્યાએ કચરો ફેલાયેલો હોય છે, એવા ઘરમાં લક્ષ્મી લાંબો સમય ટકતી નથી. જો ઘરમાં ગંદકી હોય તો લક્ષ્મી નારાજ થાય છે અને દરિદ્રતા આવે છે. એટલા માટે જો તમારે ધનની દેવીને પ્રસન્ન કરવી હોય તો હંમેશા તમારી આસપાસની સ્વચ્છતાનું ખાસ ધ્યાન રાખો.પરંતુ સાંજના સમયે ઘરે ઝાડુ ન લગાવું જોઈએ.

દીવો ન પ્રગટાવો

જે લોકો ઘરમાં સવાર-સાંજ પૂજા નથી કરતા અને દીવો નથી કરતા તેમના પર માતા લક્ષ્મી નારાજ થાય છે. તે એ ઘરમાં લાંબો સમય રહેતી નથી. તેની સાથે શુક્રવારે ઉધાર લેવાનું અને આપવાનું પણ ટાળવું જોઈએ.