Site icon Revoi.in

બિહારમાં કરુણાંતિકા, નાવ પલટી જવાથી 22 તણાયા, 6ના મૃતદેહ મળ્યા

Social Share

નવી દિલ્હી: બિહારના મોતિહારી જીલ્લામાં એક કરૂણાંતિકા સર્જાઇ છે. જેમાં નદીમાં નાવ ડુબવાના કારણે 22 લોકો વહી ગયા છે. 6 લોકોના મૃતદેહ મળી અત્યારસુધીમાં મળી આવ્યા છે.

આજે સવારે આ દુર્ઘટના બની હતી. બોટ નદીમાં ડુબી ત્યારે તેમાં 22 લોકો સવાર હતા. આ પૈકીના 6 મૃતદેહ હાથ લાગ્યા છે. નાવ પલટી જવાની સૂચના મળ્યા બાદ તંત્રના અધિકારીઓ તેમજ રેસ્ક્યૂ ટીમો સ્થળ પર દોડી આવી હતી. સ્થાનિક ડુબકીમારોની પણ લોકોની શોધખોળ કરાઇ રહી છે. બોટ ચલાવી રહેલો નાવિક તરીકે કિનારે પહોંચવામાં સફળ રહ્યો હતો.

આ પહેલા પણ બિહારમાં મૂર્તિ વિસર્જન દરમિયાન મોટી દુર્ઘટના સર્જાઈ હતી અને તેમાં સાત બાળકીઓના મોત થયા  હતા.

Exit mobile version