Site icon Revoi.in

ગંગાને નિર્મળ અને સ્વચ્છ બનાવવા ચાલે છે ગંગા સમગ્ર – જન જાગૃતિ અભિયાન, જાણો અભિયાન વિશે

Social Share

પ્રત્યેક ભારતવાસી, પછી તે ભારતમાં વસવાટ કરતો હોય કે વિશ્વમાં. તે જીવનમાં એક વખત ગંગા દર્શન તેમજ પવિત્ર ગંગા નદીમાં સ્નાન કરવાની અભિલાષા ચોક્કસપણે રાખે છે. સાથે જ મનમાં એક ભાવ સદાય રાખે છે કે જ્યારે પણ અંતિમ શ્વાસ હોય ત્યારે ગંગા જળનું અંતિમ બૂંદ કંઠમાં ઉતરી જાય અને અસ્થિઓ પણ ગંગા જળમાં જ વિસર્જન થાય.

આ દરેક કાર્યો માટે ગંગા નદીમાં નિર્મળ તેમજ પવિત્ર અને સ્વચ્છ જળ હોય તે આવશ્યક છે.

આ કાર્યના હેતુસર જ્યાં ભારત સરકારે નમામિ ગંગે પરિયોજનાનો પ્રારંભ કર્યો છે. ત્યારે સમાજ પણ જાગૃત થયો છે અને પોતાની જવાબદારી નિભાવવા માટે ગંગા સમગ્રના રૂપમાં સમાજ સામે આવ્યો છે.

અત્યારસુધી ગંગા માટે કાર્ય કરવા અનેક વ્યક્તિ, સંગઠન સંક્રિય રહ્યા છે, પરંતુ તેઓનું કાર્ય માત્ર કેટલાક અંશ સુધી જ સિમિત રહ્યું. પંરતુ ગંગા સમગ્રનું કાર્ય સંપૂર્ણ સમાજ તેમજ સંગઠનોને એકજુટ કરીને ગંગોત્રીથી લઇને ગંગા સાગર સુધી છે.

વાંચો ગંગા સમગ્ર અભિયાન વિશે

વર્ષ 2011માં અભિયાનનો પ્રારંભ

લોકોમાં અભિયાન વિશે જાગરુકતા ફેલાવવા માટે દિલ્હી, હરિદ્વાર, કાશી, પ્રયાગ, કાનપુર, પટણા, બરેલી, અલીગઢ, ઝાંસી, સિમરિયા જેવા વિસ્તારોમાં સંમેલન તેમજ બેઠકો યોજાઇ

ગંગાના તટ પર સંકલ્પ દિવસ તેમજ માનવ શ્રૃંખલાનું આયોજન થયું. રાષ્ટ્રપતિ, લોકસભા અધ્યક્ષ તથા સાંસદોને ગંગા જળ- કળશ ભેટ કરવું અને ગંગા સાગરથી ગંગોત્રી સુધી યાત્રાનું આયોજન કરીને ગંગાથી જોડાઇને સમસ્ત સમાજને જોડવાનું કાર્ય થયું.

અભિયાન ગંગાની અવિરલતા-નિર્મળતા માટે સંકલ્પિત સામાજીક જાગૃતિનો એક સંગઠિત પ્રયાસ છે. તેના અંતર્ગત ગંગોત્રીથી ગંગા સાગર સુધી ગંગાને સ્પર્શ કરનારા પાંચ રાજ્યો છે.

1 ઉત્તરાખંડ

2 ઉત્તર પ્રદેશ

3 બિહાર

4 ઝારખંડ

5 બંગાળ

કાર્યની સુવિધા હેતુ ઉપર્યુકત પાંચ રાજ્યોના 12 પ્રાંતો તથા ત્રણ ક્ષેત્રોમાં વિભક્ત કરવામાં આવ્યું છે.

ઉત્તરાખંડ

મેરઠ

બૃજ

અવધ

કાનપુર

ગોરખપુર

ઉત્તર બિહાર

દક્ષિણ બિહાર

ઝારખંડ

ઉત્તર બંગાળ

દક્ષિણ બંગાળ

આ સંપૂર્ણ ગંગા પ્રવાહ ક્ષેત્રમાં 80 જીલ્લા, 234 વિકાસ ખંડ, 800 ઘાટ તેમજ લગભગ 1000 ગંગા ગ્રામ આવે છે.

ગંગા સમગ્રના માર્ગદર્શક ડૉ. કૃષ્ણ ગોપાલજીએ મહત્વપૂર્ણ બિંદુઓ પર પ્રકાશ પાડ્યો છે.

  1. સંગઠન મજબૂત થાય
  2. પ્રાંતોની ટોળી બની
  3. બેઠકોની નિયમિતતા તેમજ નિરંતરતા સુનિશ્વિત થાય તેમજ વિભિન્ન પ્રકારના કાર્યો સુનિશ્વિત થાય

આ કાર્યોને ત્રણ ભાગમાં વિભાજીત કરી શકાય

વર્તમાન સ્વરૂપ કષ્ટદાયક છે, અર્થાત્, તેને ઠીક અને સ્વચ્છ રાખવા માટે આપણે વિવિધ પ્રકારના કાર્યો કરવા પડશે.

(સંકેત)

Exit mobile version