Site icon Revoi.in

કોંગ્રેસે ટ્વિટરને પત્ર લખ્યો, કહ્યું – આ 11 મંત્રીઓ વિરુદ્વ કરો કાર્યવાહી

Social Share

નવી દિલ્હી: કોંગ્રેસ અને ભાજપ વચ્ચેનું ટ્વીટર વોર વધુ તીવ્ર બન્યું છે. હવે કોંગ્રેસે ટ્વિટરને પત્ર લખીને કેન્દ્ર સરકારના 11 મંત્રો વિરુદ્વ મેનીપ્યુલેટેડ મીડિયાનો ટેગ લગાવવાની માગણી કરી છે. ટૂલકિટ કેસમાં કોંગ્રેસે આ તમામ મંત્રીઓની ટ્વીટને ટ્વિટરના લીગલ ડિપાર્ટમેન્ટને મોકલી કાર્યવાહીની માગણી કરી છે.

કોંગ્રેસે ટ્વિટરને જે યાદી મોકલી છે તેમાં પિયુષ ગોયલ, સ્મૃતિ ઇરાની, ગિરીરાજ સિંહ, રવિ શંકર પ્રસાદ, પહ્લાદ જોશી, ધર્મેન્દ્ર પ્રધાન, રમેશ પોખરિયાલ નિશંક, થાવરચંદ ગેહલોત, ડૉ. હર્ષવર્ધન, મુખ્તાર અબ્બાસ નકવી અને ગજેન્દ્ર શિંહ શેખાવત સામેલ છે.

આપને જણાવી દઇએ કે ટૂલકિટ મામલે દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલની ટીમે સોમવારે ટ્વિટર ઇન્ડિયાની બે ઑફિસ પર પૂછપરછ માટે પહોંચી હતી. પરંતુ પોલીસની ટીમે ત્યાંથી ખાલી હાથે પાછા ફરવું પડ્યું હતું.

દિલ્હી પોલીસની ટીમ સામાન્ય પ્રક્રિયા હેઠળ ટ્વિટર ઇન્ડિયાને નોટિસ આપવા માટે તેની ઓફિસ પર ગઇ હતી તેવું દિલ્હી પોલીસના PRO ચિન્મય બિસ્વાલે કહ્યું હતું. તેઓ જાણવા માંગતા હતા કે નોટિસ આપવા માટે યોગ્ય વ્યક્તિ કોણ છે કે કારણ કે ટ્વિટર ઇન્ડિયાના MD તરફથી મળેલો જવાબ સટીક ન હતો.

નોંધનીય છે કે, ટૂલકિટ સંબંધિત સાજો વિવાદ ભાજપ પ્રવક્તા સંબિત પાત્રાના આરોપ સાથે જોડાયેલો છે. તાજેતરમાં સંબિત પાત્રાએ કોંગ્રેસ પર ટૂલકિટનો ઉપયોગ કરીને ભાજપ અને દેશની છબી ખરાબ કરવાનો આરોપ લગાવ્યો હતો. જો કે ત્યારબાદ ટ્વિટરે સંબિત પાત્રાની ટ્વિટ્સને મેનિપ્યુલેટેડ મીડિયાની શ્રેણીમાં નાખી દીધી. આ વાત પર દિલ્હી પોલીસે ટ્વિટરને નોટિસ પાઠવી કે આવું લેબલ લગાવવાની પાછળ કયો આધાર છે અને કઈ જાણકારી છે તે ટ્વિટર શેર કરે.