Site icon Revoi.in

વાંચો ‘ચાયવાળી ચાચી’થી મશહૂર મહિલા વિશે, જે 33 વર્ષથી માત્ર ચા પીને જીવે છે

Social Share

રાંચી: કહેવાય છે કે ચા દેવી મા દેવી બાકી બધી લેણાદેવી. ચાનું દરેક વ્યક્તિના જીવનમાં એક પીણા તરીકે વિશેષ મહત્વ છે. ભારતમાં સૌથી વધારે પીવાતા પીણામાં ચા મોખરે છે. કેટલાક લોકો તો ચા ના ગજબના દિવાના હોય છે. આવા જ એક છત્તીસગઢના મહિલા છે. છત્તીસગઢના એક મહિલા છેલ્લા 33 વર્ષથી માત્ર ચા પીને જીવે છે. કોરિયા જીલ્લાની આ માહિલાની અનોખી શારીરિક વિશેષતા જોઇને ખુદ ડોક્ટરો પણ દંગ છે. આજુબાજુના વિસ્તારમાં તે ચાયવાળી ચાચીના નામથી મશહૂર છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, છત્તીસગઢના પલ્લી દેવી જે કોરિયા જીલ્લાના બેકન્ઠપુર વિકાસખંડના બરદિયા ગામમાં રહે છે. તેઓ છેલ્લા અંદાજે 33 વર્ષથી માત્ર ચા પીને જીવિત છે અને મહત્વની વાત તો એ છે કે તેઓ સંપૂર્ણ સ્વસ્થ છે. પરિવારજનો અનુસાર પલ્લી દેવી લગભગ 33 વર્ષોથી અન્નજળનો ત્યાગ કર્યો છે અને માત્ર ચા પીને જીવે છે.

કોરિયા જીલ્લાના જીલ્લા હોસ્પિટલના ડૉ.ગુપ્તાનું કહેવું છે કે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી જોઇએ તો એક વ્યક્તિ 33 વર્ષ સુધી માત્ર ચા પીને જીવિત રહી શકે નહીં. એ હેરાન કરનારી બાબત છે. એ વાત અલગ છે કે નવરાત્રિમાં લોકો 9 દિવસ માટે વ્રત રાખે છે અને માત્ર ચા પીવે છે પરંતુ 33 વર્ષ ઘણાં જ વધારે હોય છે અને તે શક્ય નથી.

44 વર્ષની મહિલા પલ્લી દેવીના પિતા રતિરામ જણાવે છે કે પલ્લી જ્યારે છઠ્ઠા ધોરણમાં હતી ત્યારથી જ તેણે ભોજન છોડી દીધું, ભાઈએ જણાવ્યું કે જ્યારથી અમે સમજણા થયાં છીએ અમારી બહેનને આ રીતે જ જોતા આવ્યા છીએ. મારી બહેન કોરિયા જિલ્લાના તરગવામાં 1985માં લગ્ન કરી રામ રતનને ત્યાં ગઈ હતી પરંતુ પહેલીવાર પરત આવ્યા બાદ ફરી ગઈ નહી. જ્યારે પલ્લી દેવીનું કહેવું છે કે તેને ભૂખ નથી લાગતી, દિવસ આથમ્યા બાદ ચા પી લે છે.

પલ્લી દેવીના ભાઈ અનુસાર પરિવારમાં જેમની પાસેથી દુધ આવતુ હતું ત્યાં પૈસા આપવામાં વિલંબ થઈ ગયો હતો. દુધવાળાએ પરિવારને ખરીખોટી સંભળાવતા નારાજ પલ્લી દેવી લાલ ચા પીવા લાગી. તેમણે પલ્લી દેવીને ડોક્ટરને બતાવ્યું જેથી ખબર પડે કે તેનો કોઈ બીમારી તો નથી ને પરંતુ ડોક્ટરની તપાસમાં તે સ્વસ્થ નિકળી.

(સંકેત)