Site icon Revoi.in

ગુજરાત ભાજપ દ્વારા મહેસાણા, બોટાદ અને ભાવનગરના નવા પ્રમુખોની નિમણૂંકો કરાશે

Social Share

ગાંધીનગરઃ  ગુજરાત પ્રદેશ ભાજપમાં જ આંતરિક વિખવાદ અને ફરિયાદોને પગલે સંગઠનમાં ફેરફારનો સિલસિલો યથાવત છે. ભાજપના સંગઠનમાં સતત ફેરફાર થઈ રહ્યાં છે. ચૂંટણી બાદ પ્રદેશ ભાજપમાં જિલ્લા અને શહેર સંગઠનોમાં ફેરફારનો દોર યથાવત છે. એક સાથે ચાર જિલ્લા અને શહેરોના પ્રમુખોના રાજીનામાં બાદ નવી નિમણૂકો કરાશે જેમાં. મહેસાણા, બોટાદ, ભાવનગર જિલ્લા અને શહેરના પ્રમુખોની સત્વરે નિમણૂકો કરવામાં આવે તેવી શક્યતા છે.

સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાત  વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થયા બાદ ફરી ભારતીય જનતા પાર્ટી પ્રદેશ સંગઠનમાં બદલાવનો એક મોટા દોરનો પ્રારંભ થઈ ગયો છે.  ભારતીય જનતા પાર્ટીને છેલ્લા એક મહિનામાં 9 જેટલા જિલ્લા પ્રમુખ અને શહેર પ્રમુખોના રાજીનામાં લઈ લીધા છે. જેમાં બનાસકાંઠા, દ્વારકા, ખેડા, વડોદરા જિલ્લો, ભાવનગર શહેર, ભાવનગર જિલ્લો, અમરેલી, સુરેન્દ્રનગર, બોટાદ અને મહેસાણા  શહેર પ્રમુખોના રાજીનામાં લેવામાં આવ્યા છે. આ જિલ્લા અને શહેર પ્રમુખોના સ્થાને હવે નવા પ્રમુખોની નિમણૂક કરવામાં આવી રહી છે. કેટલાક જિલ્લા અને શહેરોમાં નિમણૂંકો કરી દેવામાં આવી છે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, રાજ્યના નવ જિલ્લા અને શહેર ભાજપ પ્રમુખોએ અલગ અલગ વ્યક્તિગત કારણો દર્શાવીને રાજીનામા આપ્યા હતા. જેમાં  ભાવનગર શહેર પ્રમુખ રાજીવ પંડ્યા અને ભાવનગર જિલ્લા પ્રમુખ મુકેશ લંગારીયાએ પણ રાજીનામું આપ્યું છે. જ્યારે  મહેસાણામાં જસુ પટેલ, અને  બોટાદ જિલ્લા ભાજપ પ્રમુખ અરવિંદ વનાડીયાએ પણ રાજીનામું આપ્યું છે. જો કે એવું કહેવાય છે. કે, પ્રદેશ પ્રમુખ સી આર પાટિલની સુચના બાદ રાજીનામાં અપાયા છે. ભાવનગર શહેર પ્રમુખ રાજીવ પંડ્યાના પત્ની ધારાસભ્ય બન્યા હોવાના કારણે તેમણે રાજીનામુ આપ્યું છે. મહેસાણા જસુ પટેલનો પરિવાર અમદાવાદમાં હોવાના કારણે રાજીનામું આપ્યુ છે. મહેસાણા, બોટાદ અને ભાવનગરના નવા પ્રમુખોની 24 કલાકમાં જાહેરાત થાય તેવી સંભાવના છે. વિધાનસભાની ચૂંટણી બાદ ત્રણ જિલ્લાના ભાજપ પ્રમુખો બદલાઇ ચૂક્યા છે.

Exit mobile version