Site icon Revoi.in

ઉત્તરકાશી ટનલમાં ફસાયેલા કામદારો માટે રાહતના સમાચાર ,16 દિવસ બાદ હવે ગમે ત્યારે બહાર આવી શકે છે કામદારો

Social Share
દહેરાદૂન – છેલ્લા 16 દિવસથી  ઉત્તરાખંડના ઉત્તરકાશી જિલ્લામાં સિલ્ક્યારા ટનલ ચર્ચાનો વિષે બની છે અહી તનલમાં 41 કામદારો 16 દિવસથી ઝઝૂમી રહ્યા છે આ સાથે જ તેને બહાર લાવવાનું કામ ઝડપી બન્યું છે.
ટનલની અંદર ઓગર મશીન ડ્રિલિંગના ઓપરેટર શંભુ મિશ્રાએ જણાવ્યું કે જ્યારે બપોરે 1:50 વાગ્યે પાઇપ ક્રોસ થઈ ત્યારે અંદર ફસાયેલા કામદારો આનંદથી ઝૂમી ઉઠયા  કામદારો એ  હાથ હલાવીને ખુશી વ્યક્ત કરી હતી. 
બચાવ કાર્યકરોએ મંગળવારે ઉત્તરાખંડની સિલ્ક્યારા ટનલમાં કાટમાળની અંદર 60 મીટરનું ડ્રિલિંગ કાર્ય પૂર્ણ કર્યું અને 16 દિવસથી તેમાં ફસાયેલા કામદારો હવે ટૂંક સમયમાં બહાર આવવાની આશા છે. ઉત્તરાખંડ સરકારના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે ડ્રિલિંગ પૂર્ણ થઈ ગયું છે. 
આ સાથે જ  સીએમ ધામીએ ઉત્તરકાશીની સિલ્ક્યારા ટનલમાં સફળતાપૂર્વક પાઈપ નાખવા બદલ બચાવ ટુકડીઓને અભિનંદન પાઠવ્યા હતા. ફેસબુક પર પોસ્ટ કરતા તેણે લખ્યું કે બાબા બોખનાગ જીના અપાર આશીર્વાદ હતા. કરોડો દેશવાસીઓની પ્રાર્થના અને બચાવ કાર્યમાં લાગેલી તમામ બચાવ ટુકડીઓના અથાક પરિશ્રમના પરિણામે મજૂરોને બહાર કાઢવા માટે સુરંગમાં પાઈપ નાખવાનું કામ પૂર્ણ થયું છે. ટૂંક સમયમાં તમામ મજૂર ભાઈઓને બહાર કાઢવામાં આવશે.

પ્રાપ્ત જાણકારી મુજબ કાટમાળને ખોદવામાં સફળતા મેળવવામાં માત્ર હવે  2-3 મીટર બાકી છે, અંદર ફસાયેલા કામદારોને ટનલમાંથી બહાર કાઢવામાં આવી રહ્યા છે સાથે જ કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ રાજ્ય મંત્રી જનરલ વીકે સિંહ સુરંગમાંથી બહાર આવ્યા છે. આ દરમિયાન મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી સુરંગમાં પ્રવેશ્યા છે.

આ સાથે જ કામદારોને ટનલ માંથી જેવા બહાર કાઢવામાં આવશે કે તરતજ તબીબી સુવિધાઓ પૂરી પાડવામાં આવશે , કામદારો બહાર આવતાની સાથે જ તેમને તબીબી સંભાળ પૂરી પાડવા માટે, ઘટના સ્થળથી 30 કિલોમીટર દૂર ચિન્યાલીસૌર સામુદાયિક આરોગ્ય કેન્દ્રમાં 41 પથારીની હોસ્પિટલ તૈયાર કરવામાં આવી છે.