Site icon Revoi.in

નોબલ શાંતિ એવોર્ડ વિજેતા મલાલા યુસુફે કર્યા નિકાહઃ- પ્રિયંકા ચોપરા અને કેટરીના કૈફે પણ આપી શુભેચ્છા

Social Share

મુંબઈઃ-નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતા મલાલા હવે લગ્નના બંધનમાં બંધાઈ ગઈ છે. તેણે પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર ફોટો સાથે લગ્નના સમાચાર શેર કર્યા છે. બોલિવૂડ અને હોલીવુડના ઘણા સેલેબ્સે તેની આ પોસ્ટ પર અભિનંદન પાઠવ્યા છે.

બોલિવૂડ અભિનેત્રી પ્રિયંકા ચોપરાએ લખ્યું છે કે , અભિનંદન. સાથે જ હાર્ટ આઈ, ફાયર અને હાર્ટ ઈમોજી પણ શેર કર્યા છે. કેટરીના કૈફે પણ તેની પોસ્ટ પર અભિનંદન પણ લખ્યા છે. આ સિવાય રીસ વિધરસ્પૂન, લીલી સિંહ અને પાવર ગર્લ દાનાનીરે પણ મલાલાને અભિનંદન પાઠવ્યા છે.

મલાલાએ ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યું છે કે, “આજનો દિવસ મારા જીવનનો સૌથી કિંમતી દિવસ છે.” સર અને હું લગ્ન કરીને આજીવન જીવનસાથી બની ગયા છીએ. અમે અમારા બર્મિંગહામના ઘરે અમારા પરિવારો સાથે એક નાના નિકાહ સમારોહનું આયોજન કર્યું. કૃપા કરીને અમને દુઆ આપો. અમે આગળની સફરમાં સાથે રહેવા માટે ઉત્સાહિત છીએ.

મલાલાએ થોડા મહિના પહેલા એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે તેને નથી લાગતું કે તે ક્યારેય લગ્ન કરી શકશે. તેણે કહ્યું હતું કે જો તમે કોઈને ઈચ્છો છો તો લગ્નની જરૂર કેમ છે, ફક્ત જીવનસાથી કેમ ન બની શકે. જો કે, અચાનક તેમના લગ્નના સમાચાર સાંભળીને બધા ચોંકી ગયા છે.ત્યારે હવે તેણે અચાનક નિકાહ કરી લેતા તે ફરી ચર્ચામાં આવી છે,સોશિયલ મીડિયામાં બન્ને ના લગ્નના ફોટો ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે.