Site icon Revoi.in

હવે ચીનની નાપાક નજર અરુણાચલ પ્રદેશ પર – સરહદ પર સેનાની તૈનાતીમાં વધારો,ભારત આપશે મૂહતોડ જવાબ

Social Share

દિલ્હીઃ- છેલ્લા વિતેલા વર્ષથી ચીન અને ભારત વચ્ચે તણાવપૂર્ણ માહોલ ચાલી રહ્યો છે. ચીન સતત ભારતની સરહદો પર શાંતિ ભંગ કરવાના પ્રયત્નો કરી રહ્યા છે,પૂર્વીય લદ્દાખ ચાલી રહેલા તણાવ વચ્ચે, ભારત હવે લશ્કરી કવાયત અને અરુણાચલ પ્રદેશની સરહદના આંતરિક ભાગોમાં ચીની સેનાની તૈનાતી અંગે સાવધાન બન્યું છે. ભારતીય સેનાએ સુરક્ષા સંબંધિત કોઈપણ પડકારને પહોંચી વળવા માટે કટોકટીની યોજના બનાવી લીધી છે.

પૂર્વીય કમાન્ડ કમાન્ડર લેફ્ટ. જનરલ મનોજ પાંડેએ આ બાબતને લઈને જણાવ્યું હતું કે, ચીનની પીપલ્સ લિબરેશન આર્મીના વાર્ષિક તાલીમ કાર્યક્રમમાં આ વખતે પ્રવૃત્તિઓ પણ વધી છે, આ સાથે જ સૈનિકોને સરહદી અંતરિયાળ વિસ્તારમાં તૈનાત કરવામાં આવી રહ્યા છે. બંને દેશો વાસ્તવિક નિયંત્રણ રેખા સાથે માળખાગત સુવિધાઓ વિકસાવી રહ્યા છે, આનાથી કેટલાક વિવાદો સર્જાય છે.ઉત્તરપૂર્વ ભારતમાં ભૂતાન સાથે રાજદ્વારી સંબંધો બાંધવાના ચીનના પ્રયાસો અંગે પણ હવે ભારત પણ સતત ચિંતામાં છે.

ચીનની નાપાક હરકત સામે ભારત ખડેપગે

જ્યારે ચીન-ભૂટાનમાં દાયકાઓ જૂના સરહદ વિવાદ પર કરાર પર સીધું કશું કહેતા નથી. જનરલને આશા હતી કે આ કરાર સરકારી અધિકારીઓની નજરમાં રહેશે.જનરલ પાંડેએ કહ્યું કે ચીન સરહદ નજીક નવા ગામો સ્થાપી રહ્યું છે. ભારત તે મુજબ વ્યૂહરચના તૈયાર કરી રહ્યું છે, કારણ કે વસ્તીવાળા વિસ્તારોનો ઉપયોગ લશ્કરી હેતુઓ માટે થઈ શકે છે. જનરલે પૂર્વ ભારતમાં 1300 કિલોમીટર લાંબી એલએસી પર સેનાની સજ્જતાનો હિસાબ પણ લીધો અને કહ્યું કે ભારતીય સેનાની માઉન્ટેન સ્ટ્રાઈક કોર્પ્સ હવે સંપૂર્ણપણે કાર્યરત છે.

પ્રોટોકોલ તોડવા અંગે મહત્વની ચર્ચાઓ

જનરલ મનોજ પાંડે, પૂર્વીય આર્મી કમાન્ડરે માહિતી આપી હતી કે ચીન દ્વારા સરહદ કરાર અને પ્રોટોકોલ તોડવા અંગે ઉચ્ચ સ્તરીય ચર્ચાઓ થઈ હી છે. તાજેતરમાં, ચીન અને ભારત વચ્ચે ચોથી હોટલાઈન શરૂ થઈ છે. સુરક્ષા સંબંધિત કટોકટી પડકારોને જોતા તમામ ક્ષેત્રોમાં લશ્કરી જમાવટ અને કટોકટી આયોજનની કવાયત ચાલુ કરવામાં આવી છે.