Site icon Revoi.in

હવે દર વર્ષે  16 જાન્યુઆરીના રોજ મનાવશે ‘નેશનલ સ્ટાર્ટઅપ ડે’ – પીએમ મોદીનું એલાન

Social Share

દિલ્હીઃ- દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજરો શનિવારે સ્ટાર્ટ વિશે વાતચીત કરવા વખતે એક મહત્વની જાહેરાત કરી છે. પીએમ મોદીએ કહ્યું કેલ હવે દર વર્ષથી 16 જાન્યુઆરીના દિવસને સ્ટાર્ટઅપ ડે તરીકે ઉજવવામાં આવશે

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના સંબોધન દરમિયાન કહ્યું કે સ્ટાર્ટઅપની આ સંસ્કૃતિ દૂર દૂર સુધી પહોંચવી જોઈએ, આ માટે દર વર્ષે 16 જાન્યુઆરીને રાષ્ટ્રીય સ્ટાર્ટઅપ દિવસ તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે.વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સંબોધન કરતાં કહ્યું હતું કે ભારતમાં ઈનોવેશનને લઈને જે અભિયાન ચાલી રહ્યું છે તેની અસર એ છે કે વૈશ્વિક ઈનોવેશન ઈન્ડેક્સમાં ભારતની રેન્કિંગમાં પણ ઘણો સુધારો થયો છે. વર્ષ 2015માં ભારત આ રેન્કિંગમાં 81મા ક્રમે હતું. હવે ઈનોવેશન ઈન્ડેક્સમાં ભારત 46માં નંબર પર છે.

જ્યારે સ્ટાર્ટઅપ ઉદ્યોગપતિઓ સાથે વાતચીત કરતી વખતે, પીએમ મોદીએ તેનાથી સંબંધિત વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરી હતી ત્યારે આ વાત કરી હતી. આ પ્રસંગે પીએમ મોદીએ કહ્યું કે, અમારો ખાસ પ્રયત્ન વિદ્યાર્થીઓમાં બાળપણથી જ દેશમાં ઈનોવેશન પ્રત્યે આકર્ષણ પેદા કરવાનો છે.

આ સાથે જ પીએમ મોદીએ કહ્યું કે 9 હજારથી વધુ અટલ ટિંકરિંગ લેબ્સ આજે બાળકોને શાળાઓમાં નવીનતા લાવવા અને નવા વિચારો પર કામ કરવાની તક પૂરી પાડે છે. રાષ્ટ્રીય સ્ટાર્ટ-અપ દિવસની ઉજવણીની જાહેરાત કરતા મોદીએ કહ્યું કે દેશના તમામ નવતર યુવાનોને ખૂબ અભિનંદન, જેઓ સ્ટાર્ટઅપની દુનિયામાં ભારતનો  ઝંડો બુલંદ કરી રહ્યા છે.

પીએમ મોદીએ સરકારી પ્રક્રિયાઓના વેબમાંથી ઉદ્યોગસાહસિકતા, નવીનીકરણને મુક્ત કરવા હાકલ કરી હતી. તેમણે કહ્યું કે ઈનોવેશનને પ્રોત્સાહન આપવા માટે સંસ્થાકીય મિકેનિઝમ બનાવવું ખૂબ જ મહત્વપૂર્ણ છે.