Site icon Revoi.in

આ દેશમાં લોકો ઉંદરને પાળવા માટે સરકાર પાસેથી લે છે પરવાનગી,જાણો આવું કેમ છે આ દેશમાં

Social Share

તમે કેનેડાનું નામ સાંભળ્યું જ હશે, કારણ કે તેને ‘મિની હિન્દુસ્તાન’ પણ કહેવામાં આવે છે અને તેનું કારણ એ છે કે દર વર્ષે હજારો ભારતીયો કેનેડામાં સ્થળાંતર કરીને સ્થાયી થાય છે, ખાસ કરીને પંજાબના લોકો.કેનેડાની આંતરરાષ્ટ્રીય સરહદ વિશ્વની સૌથી મોટી ભૂ-સીમા છે, જે અમેરિકાને અડીને છે.તેની લંબાઈ 8 હજાર કિલોમીટરથી વધુ છે.તો ચાલો જાણીએ કેનેડા વિશેની કેટલીક રસપ્રદ વાતો તેમજ અહીંના વિચિત્ર નિયમો વિશે.

તમને જાણીને નવાઈ લાગશે કે,કેનેડા એક એવો દેશ છે, જેમાંથી લગભગ 40 ટકા જંગલો છે અને તે પણ ઘણા મોટા જંગલો છે.

કેનેડામાં અદ્ભુત અને સુંદર તળાવોની કોઈ કમી નથી. એવું પણ કહેવાય છે કે કેનેડાના સરોવરોમાં હાજર પાણીનો જથ્થો વિશ્વના લગભગ 20 ટકા છે.

કેનેડામાં ખૂબ જ ઠંડી પડે છે, એટલી બધી કે દરિયાનું પાણી પણ થીજી જાય છે અને લોકો તેના પર આઈસ હોકી રમવાનો આનંદ માણે છે.

કેનેડામાં પણ ખૂબ જ વિચિત્ર નિયમ છે, જેના વિશે બહુ ઓછા લોકો જાણે છે. અહીં કેટલાક વિસ્તાર એવા છે, જ્યાં ઉંદર માટે પણ સરકાર પાસેથી પરવાનગી લેવી પડે છે. આ સિવાય અહીં જીવતા ઉંદરને વેચવું કે મારવું ગેરકાયદેસર માનવામાં આવે છે.

Exit mobile version