Site icon Revoi.in

પીએમ મોદીએ બીજેપીના દિગ્ગજ નેતા મુરલી મનોહર જોશી અને કલ્યાણ સિંહના જન્મદિન નિમિત્તે પાઠવી શુભેચ્છા 

Social Share

દિલ્હીઃ-પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા મુરલી મનોહર જોશીનો આજે જન્મદિવસ છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ પ્રસંગે ભાજપના દિગ્ગજ નેતાને અભિનંદન આપ્યા હતા અને સાંસદ-પ્રધાન તરીકે કરેલા તેમના કાર્યની પ્રશંસા પણ કરી છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને  લખ્યું છે કે, ‘ડો,મુરલી મનોહર જોશી જી ને જન્મદિવસ ની શુભકામના. તેઓ દેશના સૌથી વરિષ્ઠ અને આદરણીય નેતાઓમાંથી એક છે. પોતાના જીવનમાં સતત દેશના વિકાસ માટે કામ કર્યું છે. મંત્રી અને સાંસદ તરીકે મુરલી મનોહર જોશીનું કાર્ય પણ છે.

આજ રોજ મુરલી જોશી 87 વપર્ષના થી ચૂક્યા છે,તેમની ગણના બીજેપીના સંસ્થાપક સદસ્યોમાં થાય છે,આ સાથે જ  અટલ બિહારી બાજપાઈ ,લાલ કૃષ્ણ અડવાણી અને તેમને તિગડી માનવામાં આવે છે.

યૂપીના પૂર્વ મુખ્યંમંત્રી બીજેપીના જાણીતા નેતા કલ્યાણ સિંહનો પણ આજે જન્મ દિવસ 

આ સાથે જ આજ રોજ બીજેપીના નેતા એવા અને ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કલ્યાણસિંહનો પણ જન્મ દિવસ છે, આ પ્રસંગે પીએમ મોદીએ તેમને પણ શુભેચ્છાઓ પાઠવી છે,પીેમ મોદીે તેમની સાથે ફોન કરીને વાત કરી હતી

સાહિન-