Site icon Revoi.in

પીએમ 25મી જુલાઈએ સ્વર્ગસ્થ હરમોહન સિંહ યાદવની 10મી પુણ્યતિથિ નિમિત્તે કાર્યક્રમને સંબોધન કરશે

Social Share

દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદી 25મી જુલાઈ 2022ના રોજ સાંજે 4:30 વાગ્યે સ્વર્ગસ્થ હરમોહન સિંહ યાદવની 10મી પુણ્યતિથિ નિમિત્તે એક કાર્યક્રમને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સંબોધન કરશે.

હરમોહન સિંહ યાદવ યાદવ સમુદાયની એક મહાન વ્યક્તિ અને નેતા હતા.આ કાર્યક્રમમાં વડાપ્રધાનની સહભાગિતા ખેડૂતો, પછાત વર્ગો અને સમાજના અન્ય વર્ગો માટે દિવંગત નેતાના યોગદાનને માન્યતા આપવા માટે છે.

હરમોહન સિંહ યાદવ લાંબા સમય સુધી રાજકારણમાં સક્રિય રહ્યા અને MLC, MLA, રાજ્યસભાના સભ્ય અને ‘અખિલ ભારતીય યાદવ મહાસભા’ના અધ્યક્ષ તરીકે વિવિધ ક્ષમતાઓમાં સેવા આપી. તેમણે તેમના પુત્ર સુખરામ સિંહની મદદથી કાનપુર અને તેની આસપાસ ઘણી શૈક્ષણિક સંસ્થાઓની સ્થાપના કરવામાં પણ મહત્વની ભૂમિકા ભજવી હતી.

હરમોહન સિંહ યાદવને 1984ના શીખ વિરોધી રમખાણો દરમિયાન અનેક શીખોના જીવનની રક્ષામાં બહાદુરી દર્શાવવા બદલ 1991માં શૌર્ય ચક્ર એનાયત કરવામાં આવ્યો હતો.