Site icon Revoi.in

પ્રધાનમંત્રીએ ઇસ્ટરની શુભેચ્છાઓ પાઠવી

Social Share

નવી દિલ્હી, 05 એપ્રિલ 2026: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઇસ્ટર નિમિત્તે શુભેચ્છાઓ પાઠવી છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે આ પવિત્ર દિવસ આશા અને નવા જીવનનો ઉત્સવ છે. તેમણે શુભેચ્છા પાઠવી કે ઇસ્ટર દરેકના જીવનમાં શાંતિ, આનંદ અને પ્રકાશ લાવે.

નરેન્દ્ર મોદીએ વધુમાં કહ્યું કે ઈસુ ખ્રિસ્તના ઉપદેશો દરેકને દયાળુ બનવા અને સમાજમાં એકતાની ભાવનાને મજબૂત બનાવવા માટે પ્રેરણા આપે. પ્રધાનમંત્રીએ ‘X’ પર લખ્યું કે,
“હેપ્પી ઇસ્ટર. આ પવિત્ર દિવસ આશા અને નવા જીવનનો ઉત્સવ છે. તે દરેકના જીવનમાં શાંતિ, આનંદ અને ખુશી લાવે. ઈસુ ખ્રિસ્તના ઉપદેશો દરેકને દયાળુ બનવા અને સમાજમાં એકતાની ભાવનાને મજબૂત બનાવવા માટે પ્રેરણા આપે.”

વધુ વાંચો: બેંગકોકમાં તીરંદાજી પેરા સિરીઝમાં પાયલ નાગે શીતલ દેવીને હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો

Exit mobile version