Site icon Revoi.in

રાજ્યના મોટા ભાગના જિલ્લામાં મગફળીની ટેકાના ભાવે ખરીદી આજથી શરૂ, મોરબીમાં કાલથી શરૂ થશે

Social Share

રાજકોટ: સમગ્ર રાજ્યમાં મગફળીની ટેકાના ભાવે આજથી ખરીદી શરુ કરવામાં આવી છે. ત્યારે મોરબી જિલ્લામાં ૯૦૦૦ જેટલા ખેડૂતોએ ટેકાના ભાવે મગફળી વેચવા માટે રજીસ્ટ્રેશન કરાવ્યું છે. જેમાં આજે લાભ પાંચમના પવિત્ર પર્વ પર ધંધા રોજગારની શરૂઆત કરવામાં આવી હોય છે.

મોરબી જિલ્લામાં આજથી મગફળીની ટેકાના ભાવે ખરીદી શરૂ નથી કરવામાં આવી. હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદની શક્યતાઓ દર્શાવવામાં આવી હતી. જેથી સાવચેતીના ભાગરૂપે મગફળીની ખરીદી આજ શરૂ નહિ કરવામાં આવે તેમજ આવતીકાલથી ખેડૂતોને મેસેજ મોકલીને ખરીદી માટે બોલાવવામાં આવનાર હોવાની ખાતરી અધિકારીએ આપી હતી.

ઉલ્લેખનીય છે કે ખેડૂતો લાંબા સમયથી પોતાનો પાક વેચવા માટે રાહ જોઈ રહ્યા છે અને લાભ પાચમના દિવસે તેમની મગફળી વેચાય તેવી આશા રાખતા હોય છે પરંતુ મોરબીમાં પોતાની મગફળી વેચવા આવતા ખેડૂતોને થોડો સમય વધારે રાહ જોવી પડશે.