Site icon Revoi.in

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં ટપ્પુનું પાત્ર ભજવનાર રાજ અનડકટ છોડશે શો

Social Share

મુંબઈ:લોકપ્રિય ટીવી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્માને દર્શકો ખૂબ પસંદ કરે છે. શોના તમામ પાત્રો દર્શકોને પસંદ આવી રહ્યા છે. જોકે, છેલ્લા કેટલાક સમયથી આ શો તેની કાસ્ટને લઈને ખૂબ જ ચર્ચામાં છે.ઘણા જૂના પાત્રોએ શો છોડી દીધો છે અને હવે શોના એક મહત્વપૂર્ણ પાત્રની વિદાયના સમાચાર પણ સામે આવી રહ્યા છે. રિપોર્ટ્સ અનુસાર, ટપ્પુનું પાત્ર ભજવનાર રાજ અનડકટ શોને છોડવાનો છે.

અહેવાલ મુજબ રાજ ઘણા સમયથી શો છોડવાની તૈયારી કરી રહ્યો હતો. તેણે આ અંગે પ્રોડક્શન હાઉસ સાથે પણ વાત કરી હતી. જો કે હજુ આ મામલો ફાઇનલ થયો નથી. અહેવાલ છે કે રાજનો કોન્ટ્રાક્ટ રિન્યૂ થવાનો છે અને હવે એક્ટર અને પ્રોડક્શન હાઉસે આ કોન્ટ્રાક્ટને આગળ ન લેવાનો નિર્ણય કર્યો છે. બંને વચ્ચે વાતચીત થઈ. આ પછી શોમાંથી રાજનું બહાર જવાનું નક્કી થયું.

એવા પણ સમાચાર છે કે,રાજ ક્રિસમસ પહેલા તેનું શૂટિંગ પૂરું કરી લેશે.તો,આ વિશે શોના નિર્માતા અસિત મોદીએ કહ્યું, મને આ વિશે ખબર નથી.

જો કે, એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે રાજના શો છોડવા પાછળનું કારણ બબીતા ​​જી છે.થોડા દિવસોથી બબીતા ​​જી એટલે કે મુનમુન દત્તા અને રાજના અફેરના ઘણા સમાચાર હતા. કહેવામાં આવી રહ્યું હતું કે,બંને રિલેશનશિપમાં છે. જો કે આ અહેવાલો પર રાજ અને મુનમુન બંનેએ પોતાની પ્રતિક્રિયા આપી હતી. આ અહેવાલો ખોટા હોવાનું કહીને બંનેએ આવી અફવા ફેલાવનારાઓની કલાસ લગાવી હતી.

ભવ્ય ગાંધીએ શો છોડી દીધો ત્યારે રાજ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સાથે સંકળાયો હતો.વર્ષ 2017માં ભવ્યની જગ્યાએ રાજ આવ્યો. ભવ્યએ 9 વર્ષ સુધી ટપ્પુનું પાત્ર ભજવ્યું હતું.જે બાદ રાજે આ પાત્ર ભજવ્યું અને દર્શકો તેને આ રોલમાં પસંદ કરવા લાગ્યા ત્યાં હવે રાજના શો છોડવાના સમાચાર આવી રહ્યા છે.

હવે રાજની જગ્યાએ કોણ ટપ્પુંનું પાત્ર ભજવશે એ દર્શકો પણ જાણવા માંગશે. 2 ટપ્પુ પછી દર્શકોને ત્રીજું પસંદ આવશે કે કેમ તે પણ એક પ્રશ્ન છે.