Site icon Revoi.in

રાજકોટ: શહેરમાં ટ્રાફિકની સમસ્યાથી મળશે રાહત, જન્માષ્ટમી સુધીમાં 6 બ્રિજ ખુલ્લા મુકવામાં આવશે

Social Share

રાજકોટ: શહેરમાં છેલ્લા કેટલાય સમયથી ચાલતા વિવિધ બ્રિજના કામોને લઇને મોટા પ્રમાણમાં ટ્રાંફીક સમસ્યા સર્જાય રહી છે ત્યારે રાજકોટ વાસીઓ માટે સારા સમાચાર સામે આવ્યા છે. શહેરમાં ચાલી રહેલા વિવિધ 6 જેટલા બ્રિજના કામો આવનારા 6 મહિનામાં પૂર્ણ કરાશે. જન્માષ્ટમી સુધીમાં આ બ્રિજ ખુલ્લા મુકાશે.

શહેરના સિવિલ હોસ્પિટલ પાસેના બ્રિજનું કામ જુલાઈમાં રામાપીર ચોકડી, નાના મૌવા ચોક, તેમજ કાલાવડ રોડ પરના બ્રિજનું કામ ઓગસ્ટ સુધીમાં પૂરું કરાશે. ઓવરબ્રિજની કામગીરી અનુસંધાને આજે મેયરના અધ્યક્ષ સ્થાને સમીક્ષા બેઠક બોલાવવામાં આવી હતી. અંદાજિત 6 મહિના બાદ આ બ્રિજ ખુલ્લા મુકાતા રાજકોટમાં ટ્રાફિક સમસ્યા હલ થશે.