Site icon Revoi.in

કાળા કપડા પહેરવા મામલે વિપક્ષ પર કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે સાધ્યુ નિશાન – કહ્યું ‘કાળા કપડા પહેરનારાની આજ પણ કાળી અને ભવિષ્ય પણ કાળું’

Social Share

 

દિલ્હીઃ- મણીપુર હિંસા મામલે સંસદમાં વિપક્ષ દ્રારા ખૂબ હોબાળો મચાવવામાં આવી રહ્યો છે આવી સ્થિતિમાં આજરોજ વિપક્ષ કાળઆ રંગના કપડા પહેરીને સંસંદમાં હાજરી આપી હતી ત્યારે કાળઆ કપડા પહેરવા બબાતે કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે તેમના પર નિશાન સાધ્યું હતું.

પિયુષ ગોયલે તેમના ભાષણમાં સંસદ પરિસરમાં આમ આદમી પાર્ટીના સાંસદ રાઘવ ચઢ્ઢા પર કાગડાઓ દ્વારા હુમલો કરવાની ઘટનાનો પણ ઉલ્લેખ કર્યો હતો અને કટાક્ષ કર્યો હતો. તેમણે કહ્યું કે, આજકાલ કાળા કાગડા પણ તેમની તરફ આકર્ષિત થઈ રહ્યા છે. તેમની આવતીકાલ પણ કાળી છે, આજનો દિવસ પણ કાળો છે અને ભવિષ્ય પણ કાળું છે.

પ્રાપ્ત વિગત પ્રમાણે જ્યારે હવે વિરોધમાં વિપક્ષના સાંસદો કાળા કપડા પહેરીને સંસદ પહોંચ્યા છે. કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે આ અંગે વિપક્ષને જવાબ આપ્યો. આ મામલે તેમણે કહ્યું કે આવા ગંભીર વિષયનું રાજનીતિકરણ કરવામાં આવી રહ્યું છે. આ ભારતની ઓળખનો પ્રશ્ન છે. મંત્રીએ વધુમાં કહ્યું કે કાળા કપડા પહેરનારા લોકો એ બાબતને સમજવામાં અસમર્થ રહ્યા છે કે આજે દેશની વધતી શક્તિ શું છે.