Site icon Revoi.in

સોશિયલ મીડિયા પર મુકેશ ખન્નાના મોતની અફવા વાયરલઃ- અભિનેતાએ કહ્યું, ‘હું લિબકુલ સ્વસ્થ છું’

Social Share

મુંબઈઃ-મહાભારતમાં ભીષ્મ પિતામહની ભૂમિકા ભજવનાર અભિનેતા મુકેશ ખન્નાના મૃત્યુના સમાચાર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે,આ સમાચારને લઈને  સૌ કોઈ ચોંકી ઉઠ્યા હતા, જો કે ખરેખરમાં માચ્ર આ એક અફવા જ હતી, 11 મે મંગળવારના રોજ કેટલાક લોકોએ તેમના નિધનની પોસ્ટ્સને સોશિયલ મીડિયા પર શેર કરવાનું શરૂ કર્યું હતું. હવે આ ખોટા સમાચારો પર મુકેશ ખન્નાએ પોતાનું મોન તોડીને કહ્યું અને સ્પષ્ટ કર્યું છે કે તે સંપૂર્ણ રીતે ઠીક છે.

મુકેશ ખન્નાએ આ મામલે પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે ‘હું સંપૂર્ણ સ્વસ્થ છું, મને ખબર નથી કે  કોણે આવી અફવાઓ ઉડાવી છે.’ મુકેશ ખન્નાએ આપેલા આ જવાબ પછી તેમના ચાહકોએ રાહતનો શ્વાસ લીધો અને બધા આવી અફવાઓ ન ફેલાવવા વિનંતી રહ્યા છે. ‘

મુકેશે વધુમાં કહ્યું કે, ‘હું એકદમ ઠીક છું અને જ્યારે તમારા લોકોની પ્રાર્થના મારી સાથે છે ત્યારે મનેશું થી શકે છે, મારી ખૂબ ચિંતા કરવા બદલ તમારા બધાનો આભાર. મને ઘણા લોકોનો કોલ આવી રહ્યો છે. આપ સૌનો આભાર. ‘

ઉલ્લેખનીય છે કે, મુકેશ ખન્નાએ સોશ્યલ મીડિયા પર ભૂતકાળમાં, હોસ્પિટલો, ઓક્સિજન સિલિન્ડર, રીમડંસિવીરના ઇન્જેક્શનની અછત અંગે પોતાની પ્રતિક્રિયા વ્યક્ત કરી હતી. તેમણે ચૂંટણી અને ધાર્મિક કાર્યક્રમોમાં સામેલ ભીડ વિશે સોશિયલ મીડિયા પર પણ સવાલ ઉઠાવ્યા હતા.