Site icon Revoi.in

અજીત મોહન બાદ હવે સંધ્યા દેવનાથનની મેટા ઈન્ડિયાના વડા તરીકે નિયુક્તિ – 1લી જાન્યુઆરી પદભાર સંભાળશે

Social Share

દિલ્હીઃ ફેસબુક-પેરેન્ટ મેટા કંપનીએ અજીત મોહનની જગ્યાએ હવે સંધ્યા દેવનાથનને તેના ભારતીય બિઝનેસના નવા વડા અને ઉપાધ્યક્ષ તરીકે નિયુક્ત કર્યા છે. દેવનાથન જાન્યુઆરી 1, 2023 ના રોજ આ ભૂમિકા સંભાળશે અને ડેન નેરીને ને રિપોર્ટ કરશે.

ઉલ્લેખનીય છે કે સંધ્યા દેવનાથન 2016 માં કંપનીમાં જોડાયા હતા અને દક્ષિણ પૂર્વ એશિયામાં કંપનીની ઈ-કોમર્સ પહેલ પર કામ કરતી વખતે તેના સિંગાપોર અને વિયેતનામ બિઝનેસને બનાવવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. ત્યારે હવે તેઓ ભારતમાં સંગઠન અને તેની વ્યૂહરચનાનું નેતૃત્વ કરવા માટે ભારત પરત ફરશે.

સંધ્યા નાથનમ કે જેઓ વર્ષ 2020 માં, એક ભૂમિકા ભજવી જ્યાં તેણે APAC પ્રદેશ માટે ગેમિંગનું નેતૃત્વ કર્યું હતું. તે META માં women@APAC ના એક્ઝિક્યુટિવ સ્પોન્સર પણ છે.દેવનાથન પ્લે ફોરવર્ડ માટે ગ્લોબલ લીડ પણ છે, જે ગેમિંગ ઉદ્યોગમાં વિવિધતાને સુધારવા માટેની મેટા પહેલ છે. તે પેપર ફાઇનાન્સિયલ સર્વિસીસના બોર્ડમાં પણ સેવા આપી રહ્યા છે.