Site icon Revoi.in

પુલવામામાં સુરક્ષા દળોએ એક આતંકીને ઠાર કર્યો,કાશ્મીરી પંડિતની હત્યામાં સામેલ હોવાની આશંકા

Social Share

શ્રીનગર:દક્ષિણ કાશ્મીરના પુલવામા જિલ્લાના પદગામપોરામાં સોમવારે મધ્યરાત્રિ પછી એન્કાઉન્ટર શરૂ થયું હતું.જેમાં એક આતંકી માર્યો ગયો હતો.ડીજીપી દિલબાગ સિંહે એન્કાઉન્ટરની પુષ્ટિ કરી છે, પરંતુ આતંકવાદીઓની ઓળખ જાહેર કરી નથી.સૂત્રોના જણાવ્યા અનુસાર માર્યા ગયેલા આતંકવાદી કાશ્મીરી પંડિત સંજય શર્માની હત્યામાં સામેલ હોઈ શકે છે.સેનાના બે જવાનો ઘાયલ થયાના સમાચાર છે.

રવિવારે પુલવામામાં પત્ની સાથે બજારમાં જઈ રહેલા કાશ્મીરી પંડિત બેંક ગાર્ડ સંજય શર્માની આતંકીઓએ ગોળી મારીને હત્યા કરી દીધી હતી.હત્યારાઓ પદગામપોરામાં છુપાયા હોવાની માહિતી મળતાં સુરક્ષા દળોએ સમગ્ર વિસ્તારને ઘેરી લીધો હતો.હુમલા બાદથી પોલીસ અને સુરક્ષા દળોની ટીમ સતત હત્યારાઓની શોધમાં છે.

પુલવામા જિલ્લાના અછાન ગામમાં આતંકવાદી હુમલામાં શહીદ થયેલા કાશ્મીરી પંડિત સંજય શર્માના સોમવારે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.આ દરમિયાન મુસ્લિમ પડોશીઓએ ભાઈચારાનું ઉદાહરણ ઉભું કર્યું.તેઓએ એક પરિવારની જેમ સંજય શર્માના અંતિમ સંસ્કારમાં મદદ કરી હતી.