Site icon Revoi.in

વાળમાં નાખવાની મહેંદીને પલાળવાની ખાસ ટિપ્સ – જેનાથી વાળ બનશે સુંદર અને રેશમી

Social Share

સાહિન મુલતાની-

બદલતી ઋુતુની સાથે શરીરની કાળજી જરુરી છે, તેજ પ્રમાણે વાળની કાળજી પણ ખૂબ જ જરુરી છે,ઉનાળાની સિઝનમાં બહાર જતા વખતે જાણે આપણું માથું ગરમ થઈને તપી જાય છે, સાથે-સાથે વાળ પણ રુસ્ક બને છે, ત્યારે ખાસ ઉનાળામાં વાળને સુંદર  અને કોમળ બનાવવા માટે તથા માથામાં ઠંકડ પહોંચાડવા માટે મહેંદી નાખવામાં આવે છે કારણ કે મહેંદીની તાસીર ઠંડી છે, અર્થાત મહેંદીનો મૂળ ગુણ ઠંડક આપવાનો અને કલર આપવાનો હોય છે, આ મહેંદીને દરેક લોકો જૂદી જૂદી રીતે પલાળતા હોઈ છે, આજે આપણે વાળમાં નાખવાની મહેંદીને પલાળવાની ખાસ રીત જોઈશું. જેનાથી આંખોમાં પણ ઠંડક મળે છે અને વાળ પણ સારા બને છે.અને કેટલીક ટિપ્સથી વાળનો ખોરો પણ દૂર થાય છે.

શા માટે વાળમાં મહેંદી નાખવામાં આવે છે જાણો

વાળમાં મહેંદી નાખવાથી માથામાં ઠંડક પહોંચે છે, પગના તળીયામાં બળતરા થતી હોય તો પગમાં પણ મેંહદી લગાવવાથી ઠંડક મળે છે, વાળમાં મહેંદી લગાવવાથી વાળ સુંદર બને છે, અને જો મેંહદીને છાસમાં કે પછી દંહીમાં પલાળીને નાખવામાં આવે તો ખોળો પણ દૂર થાય છે. બરછટ બની ગયેલા વાળમાં તાજગી આવે છે, પરંતુ મહેંદી વર્ષમાં વધુને વધુ 4 થી 5 વખત જ નાખવી જોઈએ, વધુ પડતી મહેંદી પણ વાળ ખરાબ કરે છે

મહેંદીને કઈ રીતે પલાળવી જોઈએ જાણો