લેખક : રાધાક્રિશ્નન પિલ્લઇ
અનુવાદક : સ્વાતિ વસાવડા
~ પ્રો. યજ્ઞાંગ રસજ્ઞ પંડ્યા
પુસ્તકનું પ્રકાશન ખુબ સુંદર રીતે જય કો પબ્લિશિંગ હાઉસ દ્વારા કરવામાં આવ્યું છે કોર્પોરેટ ચાણક્ય ઉઘાડતા કોર્પોરેટ ક્ષેત્રને લાગુ પાડી શકાય એ રીતે તૈયાર કરવામાં આવેલા અનુક્રમણિકાના એક એક ભાગ ખુબ રસપ્રદ છે જેમ કે ભાગ ૧ નેતૃત્વ અને એમાં સત્તા , એક નેતાના ગુણો , હરીફાઈ , લોકો , ટાળવું જેવા રસપ્રદ મુદ્દાઓ ક્રમશઃ સુંદર રીતે અને એકદમ ઊંડાણ પૂર્વક આવરી લીધા છે આખું પુસ્તક કુલ ૧૭૫ નાના નાના પ્રકરણો માં રસપ્રદ રીતે અને જ્ઞાનસભર રીતે વિભાજીત કરેલું છે અને આ પુસ્તકની આજ સુંદર મજાની વિશેષતાના કારણે વાચકોને ખુબ પ્રસન્નતા સાથે જ્ઞાનની તરસ છિપાશે .આપણા આત્મકલ્યાણ માટે આ સરસ મજાના માર્ગદર્શક પુસ્તકમાં આચાર્ય ચાણક્ય ના આદર્શોને ધ્યાનમાં રાખીને ખુબ જ બારીકાઇ થી તમામ મુદ્દાઓ આવરી લીધા છે જેમ કે “વ્યાપાર માટે સાત સ્તંભો” નામના એક પ્રકરણ માં લેખક સાત સ્તંભો વિષે જેમ કે રાજા ( નેતા ) , મંત્રી ( વ્યવસ્થાપક ) , દેશ ( માર્કેટ / ગ્રાહક ), કિલ્લેબંધ શહેર ( મુખ્ય કાર્યાલય ) , કોષાગાર , સૈન્ય ( જુથ ) , મિત્રદેશ ( મિત્ર / સલાહકાર ) આ સાત સ્તંભો વિષે ખૂબ ટૂંકમાં પણ સુંદર રીતે સમજાવ્યું છે ત્યારબાદ “સફળતાના ત્રણ પાસા”ના પ્રકરણમાં સલાહ વડે સફળતા , સામર્થ્ય વડે સફળતા , શક્તિ વડે સફળતા આ તમામ મુદ્દાઓને હમણાં જ બનેલા મુદ્દાઓ પરિસ્થિતિઓના પરિપેક્ષમાં સુંદર રીતે સમજાવ્યા છે
લેખક શ્રી પિલ્લઇ ” કોર્પોરેટ ચાણક્ય” ની પ્રસ્તાવના માં જ નિખાલસતાથી લખે છે કે ” હું કેરળથી પાછો ફર્યો તે પછી મેં કૌટિલ્યના અનુભવ સિદ્ધ તથા ક્ષતિ રહિત સિદ્ધાંતોને મારા પોતાના બિઝનેસમાં લાગુ કર્યા અને સફળતા મળી એ જ રીતે હું મારા અનુભવ સિદ્ધ જ્ઞાનથી સૌને સફળ થતા જોવા માંગુ છું ” તો આવો જોઈએ આ પુસ્તક વાંચતા આપણને સીધો ફાયદો કઈ રીતે થશે ? ઈસવીસન પૂર્વે ચોથી સદીમાં આચાર્ય ચાણક્યએ નેતૃત્વ વિશેના તેમના વિચારો તથા વ્યૂહરચનાઓ લખ્યા હતા . વર્તમાન પુસ્તકમાં લેખકે આ યુગો જૂની ફોર્મ્યુલાનું આજના સમયના નેતાઓ માટે એકદમ સરળ ભાષામાં આ પુસ્તકના માધ્યમથી રસદર્શન કર્યું છે . નેતૃત્વ , વ્યવસ્થાપન અને તાલીમ ઉપર ના વિષયોમાં આ પુસ્તક “કોર્પોરેટ ચાણક્ય” વ્યાપારી તંત્રો , વ્યૂહ રચનાઓ , નિર્ણાયત્મક્તા , નાણાં , સમય નું વ્યવસ્થાપન અને એક નેતાની જવાબદારીઓ સહીત ના ક્ષેત્રોમાં ચાણક્યના જ્ઞાનને આપણા જીવનમાં સીધી રીતે અને સરળ રીતે લાગુ કરે છે .આમ એકદમ નાના નાના પ્રકરણોમાં વિભાજીત થયેલું આ પુસ્તક એ વાચકના જીવનને સર્વાંગસંપૂર્ણ રીતે એક આત્મિક , આધ્યાત્મિક , સામાજિક અને રાજકીય ઊંચાઈ આપનારું બની રહેશે એની પુરી શ્રદ્ધા સાથે ૐ લોકાઃ સમસ્તા સુખીનો ભવન્તુ: !!!