Site icon Revoi.in

વેક્સિનેશન બાબતે દેશની મોટી સિદ્ધીઃ- દેશની 50 ટકા વસ્તીને મળી ચૂક્યા વેક્સિનના બન્ને ડોઝ – સ્વાસ્થ્ય મંત્રી

Social Share

દિલ્હીઃ-  સમગ્ર દેશભરમાં જ્યા કોરોનાના નવા વેરિએન્ટ એમિક્રોને હાહાકાર મચાવ્યો છે,ભારતમાં તેના 5 કેસ અત્યાસ સુધી નોંધાઈ ગયા છેતો બીજી તરફ વેક્સિન આપવાની કામગીરી ખૂબ જ ઝડપથી થઈ રહી છે.કોરોના સામેની લડાઈ લડી રહેલા ભારતના ખાતામાં વધુ એક સિદ્ધિ ઉમેરાઈ છે.

આજરોજ રવિવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું કે ભારતમાં 50 ટકા લોકોને કોરોના વેક્સીનના બંને ડોઝ આપવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે આ આપણા બધા માટે ગર્વની વાત છે. આ પછી, રસીકરણ કરાયેલા લોકોની કુલ સંખ્યા 1,27,61,83,065 થઈ ગઈ છે.

સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, દેશમાં અત્યાર સુધીમાં 84.4 પુખ્ત વયના લોકોએ રસીનો ઓછામાં ઓછો એક ડોઝ આપવામાં આવી ચૂક્યો છે. જાહેર કરાયેલા આંકડા અનુસાર છેલ્લા એક દિવસમાં 1,04,18,707 લોકોને રસી આપવામાં આવી હતી. જે બાદ રસી મેળવનારા લોકોની કુલ સંખ્યા વધીને 127.61 કરોડ થઈ ગઈ છે.

ભારતમાં વિતેલા દિવસે કોરોનાના 8,895 નવા કેસ નોંધાયા હતા અને 2,796 લોકોના મોત થયા છે. બિહાર સરકાર દ્વારા મૃત્યુના આંકડામાં સુધારો કર્યા બાદ મૃત્યુઆંક વધી રહ્યો છે. બિહાર સરકારે આખરે 2424 લોકોના મોતને કોરોનાના કારણે મૃત્યુ તરીકે સ્વીકારી લીધા છે. આ મૃત્યુનો હવે સત્તાવાર આંકડાઓમાં પણ સમાવેશ કરવામાં આવ્યો છે.