Site icon Revoi.in

ટ્રેનમાં પ્રવાસ માટે રિઝર્વેશન કરાવ્યા બાદ પ્રવાસની તારીખ બદલી શકાશે નહીં

Social Share

અમદાવાદઃ ટ્રેનોમાં ટિકિટ રિઝર્વ કરાવવા માટે પેસેન્જરે 120 દિવસ  પહેલાં એડવાન્સ બુકિંગ કરાતું હોય છે. પરંતુ ઘણીવાર ચાર માસ દરમિયાન પેસેન્જરોના પ્લાન ફરી જાય, મુસાફરી કેન્સલ કરવામાં આવે કે મુસાફરીની તારીખ બદલવામાં આવે એવા સંજોગોમાં અત્યાર સુધી પેસેન્જર રિઝર્વેશન સેન્ટર પર જઈ પોતાના પ્રવાસની તારીખ બદલાવી શકતો હતો. પરંતુ હાલમાં રેલવેએ પ્રવાસની તારીખ બદલવાનો નિયમ બંધ કરી દેતાં હવે પેસેન્જરને મુસાફરીની તારીખ બદલવી હોય તો ફરજિયાત કન્ફર્મ ટિકિટ કેન્સલ કરાવવી પડે છે. જેમાં તેના ઓછામાં ઓછા એક ટિકિટના 120 રૂપિયા કપાય છે.

પશ્વિમ રેલવેના સૂત્રોના જણાવ્યા મુજબ રેલવેમાં ટ્રેનની એકવાર ટિકિટ બુક કર્યા બાદ જો પેસેન્જર જરૂરી કામથી અન્ય સ્ટેશનેથી ટ્રેનમાં બેસવા માગતો હોય તો તે બોર્ડિંગ સ્ટેશન બદલાવી શકે છે. બોર્ડિંગ સ્ટેશન બદલવા માટે પેસેન્જર ટ્રેન ઉપડવાના ઓછામાં ઓછા 24 કલાક પહેલા જ્યાંથી મુસાફરી શરૂ કરવાની છે તે સ્ટેશનના સ્ટેશન મેનેજરને અથવા કમ્પ્યુટરાઈજ રિઝર્વેશન કેન્દ્રના ઈન્ચાર્જને એક અરજી આપી આ સુવિધાનો લાભ મેળવી શકે છે. આ સુવિધાનો લાભ ઓનલાઈન-ઓફલાઈન બંને ટિકિટ પર મળે છે. જ્યારે પ્રવાસીઓ પોતાનો પ્રવાસ  કેન્સલ કરવામાં આવે કે પ્રવાસની તારીખ બદલવામાં આવે એવા સંજોગોમાં અત્યાર સુધી પેસેન્જર રિઝર્વેશન સેન્ટર પર જઈ પોતાના પ્રવાસની તારીખ બદલાવી શકતો હતો. પરંતુ હાલમાં રેલવેએ પ્રવાસની તારીખ બદલવાનો નિયમ બંધ કરી દેતાં હવે પેસેન્જરને મુસાફરીની તારીખ બદલવી હોય તો ફરજિયાત કન્ફર્મ ટિકિટ કેન્સલ કરાવવી પડે છે. જેમાં તેના ઓછામાં ઓછા એક ટિકિટના 120 રૂપિયા કપાય છે.