Site icon Revoi.in

સંભાર વિશે તમે જે વિચારો છો તેનો ઈતિહાસ કંઇક આવો છે! જાણો

Social Share

આમ તો ભારતમાં દરેક પ્રકારની વાનગીનો ઈતિહાસ છે. ગુજરાતમાં ગાંઠિયા-જલેબી-ફાફડાને લોકો વધારે પસંદ કરે છે, દિલ્લીમાં લોકોને છોલે-ભટુલે ખાવાનું વધારે પસંદ હોય છે. મુંબઈમાં લોકોને વડાપાંવ વધારે પસંદ છે તો બંગાળમાં લોકોને રસગુલ્લા વધારે પસંદ આવે છે. તો આ પ્રકાર સંભાર વિશે તમે લોકો જે વિચારો છે તે સત્ય નથી.

જ્યારે તમિલનાડુના તંજાવુરમાં પણ મરાઠાઓનું શાસન હતું, ત્યારે શિવાજીના પુત્ર સંભાજી ત્યાં રહેતા શાહુજી મહારાજને મળવા ગયા હતા. સંભાજીને મરાઠી વાનગી આમટી ખૂબ જ પસંદ હતી. તેથી, તેમના સ્વાગતમાં શાહુજીએ તેમના શાહી રસોઈયાઓને આમટી તૈયાર કરવાનો આદેશ આપ્યો. આમટી એક ખાટી વાનગી છે જેને મગની દાળ અને કોકમ ઉમેરીને બનાવવામાં આવે છે.

પરંતુ તે દિવસે શાહી રસોડામાં મગની દાળ ખાલી થઈ ગઈ અને ત્યાં કોઈ કોકમ (મહારાષ્ટ્રમાં મળતા ખાટા ફળ) નહોતા. તેથી જ રસોઈયાએ વટાણા અને તુવેર દાળની વાનગી આમલી નાખી તૈયાર કરી. જ્યારે તે સંભાજીને પીરસવામાં આવ્યું, ત્યારે તેને તેનો સ્વાદ ગમ્યો. જો કે, રસોઈયાએ તેમને કહ્યું કે તે કેવી રીતે તૈયાર કરવામાં આવી છે. હવે આ એક નવી વાનગી હતી. તેથી તે જ સમયે તેનું નામ પણ રાખવામાં આવ્યું હતું. તેનું નામ સાંભર હતું. કારણ કે તે સંભાજી મહારાજ માટે બનાવવામાં આવ્યું હતું.

મરાઠી ખોરાક હજુ પણ તમિલનાડુ અથવા દક્ષિણના કેટલાક ભાગોના ભોજનમાં જોવા મળે છે. કારણ એ છે કે ત્યાં મરાઠાઓનું શાસન હતું. એટલું જ નહીં તેમની બોલીમાં જૂની મરાઠી ભાષાના શબ્દો પણ સંભળાય છે અને આમ લોકો દક્ષિણ ભારતીય વાનગી સાથે સંભાર આરોગવા લાગ્યા અને તેને દક્ષિણ ભારતની વાનગી સમજવા લાગ્યા.