Site icon Revoi.in

દેશના અનેક જિલ્લાઓમાં સંક્રમણનો દર ઘટ્યોઃ- 22 દિવસમાં નોંધાયા સૌથી ઓછા કેસ

Social Share
દિલ્હીઃ-સમગ્ર દેશમાં કોરોના બીજી લહેર ધીમી પડતી જોવા મળી રહી છે.કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયનું કહેવું છે કે હાલમાં 7 37 દેશના જિલ્લાઓમાં સંક્રમણ દર પાંચ ટકાથી ઓછો નોંધાય છે. 7 મેના રોજના જો આંકડાઓની તુલના કરીએ તો દૈનિક કેસોમાં 68 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. 7 મેના રોજ મહત્તમ કેસ નોંધાયા હતા.ત્યાર બાદ કેસોમાં 66 ટકા નવા કેસ પાંચ રાજ્યોમાંથી અસરકારક રીતે સમ રહ્યા છે. આ સૂચવે છે કે તેઓ સ્થાનિક રીતે વાયરસને નિયંત્રણમાં રાખવામાં સફળ રહ્યા છે.
વિતેલા દિવસને શુક્રવારના રોજ મંત્રાલયના સંયુક્ત સચિવ લવ કુમાર અગ્રવાલે આ મામલે કહ્યું કે દેશમાં પુનઃપ્રાપ્તિ દર સતત વધી રહ્યો છે. હાલમાં રિકવરી દર 93 ટકાથી પણ વધુ છે. તેમણે કહ્યું કે આવા જિલ્લાઓની સંખ્યા સતત ઘટી રહી છે જ્યાં દરરોજ સરેરાશ 100 નવા કેસ નોંધાય છે. એવા 257 જિલ્લાઓ છે જ્યાં દરરોજ 100 થી વધુ કેસ નોંધાય છે.

નીતી આયોગના સભ્ય ડો.વી.કે. પોલે પણ આ મામલાને લઈને જણાવ્યું હતું કે ઓવર વર્લ્ડ ઇન ડેટા મુજબ ભારતમાં 17.2 કરોડ લોકોની સંખ્યાને વેક્સિનના બન્ને ડોઝ આપવામાં આવી ચૂક્યા છે, આપણા દેશમાં રસીનો પ્રથમ ડોઝ મેળવનારા લોકોની સંખ્યાના સંદર્ભમાં આપણે યુ.એસ.ને પાછળ પછાડ્યું છે. મંત્રાલયે કહ્યું કે કોરોના વાયરસની વેક્સિનનો ઓછામાં ઓછો એક ડોઝ દેશના 60 ટકાથી વધુ વૃદ્ધોને આપવામાં આવી ચૂક્યો છે.

કોરોનાની બીજી લહેર તીવ્ર બન્યા બાદ લગભગ એક મહિના પછી, પરિસ્થિતિ નિયંત્રણમાં આવી હોવાનું જણાય છે. વિતેલા એક દિવસમાં જ બે લાખથી વધુ સંક્રમિત દર્દીઓ સ્વસ્થ થયા છે. 22 દિવસથી દેશમાં નવા કેસ કરતાં વધુ સાજા કરનારા લોકોની સંખ્યા જોવા મળી રહી છે. એટલું જ નહીં, છેલ્લા 11 દિવસથી સંક્રમણ દર પણ 10 ટકાથી નીચે રહ્યો છે. એવી આશા રાખવામાં આવી રહી  છે કે જો આ જ સ્થિતિ સતત ચાલુ રહેશે તો આ મહિનાના અંત સુધીમાં સક્રિય દર્દીઓની સંખ્યા પાંચ લાખથી પણ ઓછી હશે, જે હાલમાં  16 લાથ 35 હજાર છે.