Site icon Revoi.in

‘તિહાડ કલબના બિગબોસ-ચેરમેન કેજરિવાલ’, મહાઠગ સુકેશે પત્ર લખી કેજરિવાલ ઉપર કર્યાં આક્ષેપ

Social Share

નવી દિલ્હીઃ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરિવાલની લીકર પોલીસી કૌભાંડમાં ધરપકડ બાદ મહાઠગ સુકેશ ચંદ્રશેખરે કેજરિવાલને એક ઓપન લેટર લખીને ગંભીર આક્ષેપ કર્યાં છે. પાંચ પેજના આ લેટર માફરતે ગંભીર આક્ષેપ કરતા મહાઠગ સુકેશે જણાવ્યું હતું કે, આમ આદમી પાર્ટીના સંયોજકનું તિહાડ જેલ કલબમાં સ્વાગત છે. સત્યની હંમેશા જીત થાય છે. આ નવા ભારતની શક્તિનું શાનદાર ઉદાહરણ છે. જે અહીં દેખાય છે. કોઈ પણ વ્યક્તિ કાયદાથી ઉપર નથી. મારા પ્રિય અરવિંદ કેજરિવાલ સૌ પ્રથમ આપનું સ્વાગત કરું છું. આપ તિહાડ કલબના બોસ છો. આપના કહેવાતા વાયદા અ કટ્ટર ઈમાનદાર હોવાના નાટક ખતમ થઈ ગયા છે.

સુકેશ ચંદ્રશેખરે વધુમાં જણાવ્યું કે, મેને ખુશી કે મારા ત્રણેય ભાઈ હવે તિહાડ કલબ ચલાવે છે. અરવિંદ કેજરિવાલ આ કલબના ચેરમેન અને બિગબોસ છે. મનિષ સિસોદિયા સીઈઓ અને સત્યેન્દ્ર જેન સીઓઓ છે. સુકેશે જણાવ્યું હતું કે, કેજરિવાલભાઈ આપના તમામ ભ્રષ્ટાચારનો પર્દાફાશ થવાનો છે. સીએમના પદ ઉપર રહીને તમે 10 જેટલા કૌભાંડ કર્યાં છે. જે પૈકી ચાર કૌભાંડનો હું સાક્ષી છું અને મારી પાસે તેના પુરાવા પણ છે. હું આપને દુનિયા સમક્ષ ખુલ્લા પાડીશ અને આ ચારેય કેસમાં આપની સામે નિવેદન પણ આપીશ. દિલ્હી એક્સાઈઝ કેસ તો માત્ર શરૂઆત છે.

સુકેશે વધુમાં જણાવ્યું હતું કે, આપ તિહાડ જેલની બહાર જવાના નથી. તમે અને તમારા બે ભાઈઓએ ગરીબ દર્દીઓને નકલી દવાઓ આપીને પૈસા પડાવ્યાં છે, એટલું જ નહીં પાણીના પણ પૈસાની પણ ચોરી કરી છે. તમે એક વાત સારી કરો છે કે, આ રામ રાજ્ય છે, આપના ભ્રષ્ટાચાર અને કર્મોની સજા ખુદ ભગવાન શ્રી રામજીએ આપી છે. ઉપર ભગવાન બધુ જ જોવે છે. ખાસ કરીને આપનો અહંકાર, આપનું જુઠ્ઠુ તથા લોકોની ભાવનાઓ સાથે રમત રમવી.