Site icon Revoi.in

યૂએસના ટોચના ડો.ફાઉચીએ ક્લિનિકિલ ટ્રાયલમાં ભારતીય સંશોધનકારોને સામેલ કરવાની ઈચ્છા વ્યક્ત કરી

Social Share

દિલ્હીઃ-સમગ્ર વિશષ્વમાં કોરોનાના મહામારી જોવા મળી રહી છે, કોરોના સમયગાળઆ દરમિયાન વેક્સિન બાબતે ભારતને અનેક દેશઓને સહાય પુરી પાડી હતી ત્યારે હવે ભારતીય સંશોધનકારને લઈને યુએસના ટોચના સંક્રમક રોગના નિષ્ણાંત એવા ડો. એન્થોની ફૌસીએ જણાવ્યું હતું કે કોરોના ઉપચાર પદ્ધતિની સલામતી અને અસરકારકતાનું મૂલ્યાંકન કરવા માટે તેમનો દેશ વૈશ્વિક તબીબી પરિક્ષણોમાં ભારતીય સંશોધનકર્તાઓને શામેલ કરવા ઇચ્છુક છે. તેમણે કહ્યું કે અમેરિકન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ફેક્ટીસ ડિસીઝનો ભારતીય સંસ્થાઓ સાથે કામ કરવાનો લાંબો ઇતિહાસ રહ્યો  છે.

ડો.ફાઉચીએ કહ્યું હતું કે, “અમે ભારત સાથે લાંબા સમયથી ચાલતા ભારત-યુ.એસ. વેક્સિન કાર્યક્મ હેઠળ સાર્સ-સીઓવી. 2 રસી સંબંધિત સંશોધન પર કામ કરવાનું ચાલુ રાખીશું.” અમે વૈશ્વિક તબીબી પરીક્ષણોમાં ભારતીય સંશોધનકારોને શામેલ કરવા આતુર છીએ. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચએ એનઆઈએચ અને ભારતના બાયોટેકનોલોજી વિભાગ સાથે મળીને અગાઉ મહત્વપૂર્ણ વૈજ્ઞાનિક અને જાહેર આરોગ્ય શોધોની સુવિધા આપી છે.

આ બાબતને લઈને ડો.ફાઉચીએ જણાવ્યું હતું કે, મને ખાતરી છે કે તેઓ  ભવિષ્યમાં પણ આ કાર્ય ચાલુ રાખશે ,કારણ વૈશ્વિક વૈજ્ઞાનિક ક્ષેત્રમાં ભારતના યોગદાનથી  અને પરીચીત  છીએ.સરકારના મજબૂત સમર્થન અને બાયફર્મા ખાનગી ક્ષેત્રના વ્યાપક સહયોગ સાથે કોરોનાની સ્થિતિના નિવારણ અને સંભાળ માટેની સમાચાર પ્રદાન કરવામાં આવી રહ્યું છે..

અમેરિકન રાષ્ટ્રપતિએ કહ્યું છે કે જો ભારત કોવિડ -19 રસીનું ઉત્પાદન વધારશે, તો તે સરહદો પાર કરીને વૈશ્વિક સ્તરે ગેમ ચેન્જરની ભૂમિકા નિભાવી શકે છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા નેડ પ્રાઈસે કહ્યું કે રાષ્ટ્રપતિના જણાવ્યા મુજબ આ આપણા માટે પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે ભારત કોરોના માહારામીથી ખૂબ પ્રભાવિત છે. તેથી જ આપણે ઇચ્છીએ છીએ કે ભારત તમામ રીતે વેક્સિનના ઉત્પાદનમાં વધારો કરે.