Site icon Revoi.in

અમદાવાદમાં ચાંદલોડિયા નામના બે રેલવે સ્ટેશનને લીધે પ્રવાસીઓને પડતી મુશ્કેલી

Social Share

અમદાવાદઃ અમદાવાદમાં ચાંદલોડિયા નામના બે રેલવે સ્ટેશન છે. જેમાં બે કિલોમીટરના અંતરો આવેલા એક સ્ટેશનનું નામ ચાંદલોડિયા-A અને બીજા રેલવે સ્ટેશનું નામ ચાંદલોડિયા-B નામ આપવામાં આવ્યું છે. દિલ્હીથી આવતી ટ્રેનોને ચાંદલોડિયા-B સ્ટેશને સ્ટોપેજ અપાયું છે. પ્રવાસીઓ ચાંદલોડિયાના જૂના સ્ટેશને પહોંચી ગયા પછી નવા સ્ટેશને જવાની ખબર પડે છે કાલુપુર સ્ટેશનેથી ટ્રેનો શિફ્ટ કરાયા પછી પેસેન્જરોની મુશ્કેલીમાં વધારો થયો છે.

અમદાવાદના કાલુપુર સ્ટેશનની રિડેવલપમેન્ટની કામગીરી ચાલી રહી છે. તેના કારણે અમદાવાદથી ઉપડતી અનેક ટ્રેન સાબરમતી અને ગાંધીનગર ખસેડાઈ છે. જ્યારે ઉત્તર ભારત તરફથી આવતી ટ્રેનો બાયપાસ કરાઈ છે. અમદાવાદથી ખસેડાયેલી કે બાયપાસ થયેલી ટ્રેનોમાં મુસાફરી કરતા પ્રવાસીઓને ગાંધીનગર ન જવું પડે તે માટે ચાંદલોડિયા જ્યારે દિલ્હીથી આવતી ચાંદલોડિયા બી સ્ટેશને સ્ટોપેજ અપાયું છે. બંને સ્ટેશનના નામ ચાંદલોડિયા હોવાથી પેસેન્જર એકને બદલે બીજા સ્ટેશને જતા રહે છે. બે સ્ટેશનને વચ્ચે માંડ 2 કિલોમીટરનું અંતર છે. આ સ્ટેશનમાં ગૂંચવાડાને કારણે કેટલીક પેસેન્જર ટ્રેન પણ ચૂકી જતા હોય છે. આથી બંનેમાંથી એક સ્ટેશનનું નામ બદલવાની રેલવે સત્તાધિશોને રજુઆત કરવામાં આવી છે.

ચાંદલોડિયાના નવા બનાવાયેલા સ્ટેશનને ચાંદલોડિયા બી નામ અપાયું છે. પરંતુ પેસેન્જર ટ્રેન પકડવા ચાંદલોડિયા સ્ટેશન પહોંચી જતા હોવાથી છેલ્લી ઘડીએ દોડધામ કરવી પડે છે. સૌરાષ્ટ્રથી દિલ્હી જતી ટ્રેનોને વિરમગામથી મહેસાણા કનેક્ટિવિટી આપવા થોડા સમય પહેલાં ચાંદલોડિયા મુખ્ય સ્ટેશનથી દૂર ચાંદલોડિયા બી સ્ટેશન તૈયાર કરાયું હતું. ઉત્તર ભારત તરફ જતી ટ્રેન માટે પેસેન્જર ટિકિટ ખરીદે તો ટિકિટ પર ચાંદલોડિયા સ્ટેશન લખેલું હોય છે. આથી પેસેન્જર ચાંદલોડિયા સ્ટેશન પર પહોંચી જાય છે પણ ત્યાં પછી ખબર પડે છે કે ચાંદલોડિયા બી સ્ટેશન જવાનું છે.