Site icon Revoi.in

અયોધ્યામાં રામ મંદિર માટે લેવાશે તમામ ભક્તોની મદદ, ભંડોળ એકત્ર કરવા માટે દેશભરમાં અભિયાન ચલાવશે ટ્રસ્ટ

Social Share

કાનપુર: લાંબી રાહ બાદ અયોધ્યામાં રામ મંદિરનો પાયો નાખવાની કામગીરી 15 ડિસેમ્બરથી શરૂ થવા જઈ રહી છે. ભવ્ય રામ મંદિરના નિર્માણ માટે તમામ ભક્તોની મદદ નોંધાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટએ અયોધ્યામાં નિર્માણ પામનારા ભવ્ય રામ મંદિરના નિર્માણ માટે રાષ્ટ્રવ્યાપી જન સંપર્ક અને યોગદાન અભિયાન શરૂ કરવાની યોજના બનાવી છે. આ સમય દરમિયાન લોકોને જન્મભૂમિ આંદોલનના એતિહાસિક મહત્વ વિશે પણ જાગૃત કરવામાં આવશે.

શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રે પોતાના સત્તાવાર નિવેદનમાં જણાવ્યું હતું કે, ટ્રસ્ટે આ વાત પર વિચાર કર્યો છે કે, જે રીતે શ્રી રામ જન્મભૂમિના નિર્માણમાં કરોડો શ્રી રામ ભક્તોએ યોગદાન આપ્યું છે, તે જ રીતે મંદિર પણ શ્રી રામ ભક્તોના સ્વૈચ્છિક યોગદાનથી બનાવવામાં આવશે. તેમણે કહ્યું કે, આ અભિયાન 15 જાન્યુઆરીએ મકરસંક્રાંતિથી શરૂ કરીને દેશભરમાં હાથ ધરવામાં આવશે અને માઘ પૂર્ણિમા સુધી ચાલશે.

સંપૂર્ણરીતે સ્વૈચ્છિક રહેશે દાન

ટ્રસ્ટે ટવિટ કરીને કહ્યું છે કે, શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રે તમામ રામ ભક્તોને આ એતિહાસિક અભિયાનમાં યોગદાન આપવા આહવાન કરે છે. તેમણે કહ્યું હતું કે, આ દાન સંપૂર્ણરીતે સ્વૈચ્છિક હશે, એટલે કે, જે કોઈ તેની ઇચ્છા મુજબ દાન આપવા માંગે છે તે આપી શકે છે, જેના માટે રૂ 10, 100 અને 1000ના કુપન પણ આપવામાં આવશે.

ટ્રસ્ટે દાન કરવા માટે રામ જન્મભૂમિ તીર્થ વિસ્તારના બેંક ખાતાઓ અને દાન આપવાની પ્રક્રિયા વિશે પણ માહિતી આપી છે. પોતાની માહિતીમાં તેમણે એમ પણ કહ્યું છે કે, ટ્રસ્ટને આપેલ દાન આવકવેરા કાયદા હેઠળ કરમુક્ત છે. ટ્રસ્ટે જણાવ્યું હતું કે, આ અભિયાન દ્વારા શ્રી રામ જન્મભૂમિ મંદિરના સૂચિત નવા મોડેલના ફોટા પણ કરોડો ઘરોમાં મોકલવામાં આવશે.

ટ્રસ્ટે લોકો પાસેથી માંગ્યા હતા સૂચનો

આ મહિનાની શરૂઆતમાં શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા લોકો પાસેથી અયોધ્યામાં રામ મંદિરની આસપાસ 70 એકરનો પરિસર બનાવવા માટે સૂચનો અને વિચારો માંગવામાં આવ્યા હતા. નિષ્ણાત સલાહકારો દ્વારા રચાયેલ મંદિરની મુખ્ય રચના પરંપરાગત નાગરિક શૈલીમાં તૈયાર કરવામાં આવી રહી છે. 70 એકરના કેમ્પસમાં મંદિરની આસપાસ સુવિધાઓ હશે.

-દેવાંશી

Exit mobile version