Site icon Revoi.in

ઈઝરાયલના યરુશલેમમાં બે શખ્સોએ કર્યો અંધાધૂંધ ગોળીબાર, ચારના મોત

Social Share

ઈઝરાયલના યરુશલેમ શહેરમાં સોમવાર સવારે બે હુમલાખોરોએ અંધાધૂંધ ગોળીબારી કર્યો હતો, જેમાં ચાર લોકોના મોત નિપજ્યા હોવાનું જાણવા મળે છે. આ ઘટનામાં ઓછામાં ઓછા 15 લોકો ઘાયલ થયા છે. ઈઝરાયલી પેરામેડિક સેવા ‘મેગન ડેવિડ એડોમ’ના વડા અનુસાર, પોલીસની તાત્કાલિક કાર્યવાહી બાદ બંને હુમલાખોરોને ઠાર મારવામાં આવ્યા હતા.

માહિતી અનુસાર, યરુશલેમના ઉત્તરી પ્રવેશદ્વાર નજીક, એક યહૂદી વસાહત તરફ જતી મુખ્ય માર્ગના ચોરાહે આ ઘટના બની હતી. ગાઝામાં ચાલતા યુદ્ધને કારણે ઈઝરાયલી કબજાવાળા વિસ્તારો અને ઈઝરાયલમાં હિંસાત્મક ઘટનાઓમાં વધારો થયો છે. ફલસ્તીનીઓના હુમલાઓમાં અનેક ઈઝરાયલી નાગરિકોના મૃત્યુ થયાં છે.