દિલ્હીઃ મુંબઈ ક્રુઝ ડ્રગ્સ કેસમાં બોલીવુડના કિંગખાન શાહરૂખ ખાનનો દીકરો આર્યન ખાન હાલ જેલમાં બંધ છે. આર્થર રોડ જેલમાં બંધ આર્યન ખાનના જામીન માગીની અરજી કોર્ટમાં કરવામાં આવી છે. દરમિયાન કેન્દ્રીય મંત્રી રામદાસ અઠાવલેએ શાહરૂખ ખાનને અપીલ કરી છે કે, પોતાના દીકરાને સુધારવા માટે નશા મુક્તિ કેન્દ્ર મોકલે.
કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે, શાહરૂખ ખાન દીકરા આર્યન ખાનને સુધારે, મારી સલાહ છે કે, આર્યન ખાનને 1-2 મહિના નશા મુક્તિ કેન્દ્રમાં દાખલ કરવો જોઈએ. જેથી તેઓ ડ્રગ્સથી મુક્ત થઈ શકે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ક્રૂઝ કેસમાં એનસીબી દ્વારા ઉંડાણપૂર્વકની તપાસ કરવામાં આવી છે. આ કેસમાં ચંકી પાંડેની દીકરી અનન્યા પાંડેની પૂછપરછ કરી હતી. આ ઉપરાંત એનસીબીએ આર્યન ખાનને લઈને ઉંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે. અગાઉ પણ બોલીવુડમાં ડ્રગ્સને લઈને એનસીબીએ તપાસ કરી હતી.