Site icon Revoi.in

ઉત્તરાખંડ: કોવિડ કર્ફ્યુ 10 ઓગસ્ટ સુધી જારી રહેશે, રાજ્યમાં આવવાના નિયમો બદલાયા

Social Share

દહેરાદૂન:દેશમાં ફરી એકવાર કોરોનાના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને, ઉત્તરાખંડ સરકારે રાજ્યમાં લાગુ કરાયેલા કોવિડ કર્ફ્યુની અવધિ 10 ઓગસ્ટ સવારે 6 વાગ્યા સુધી લંબાવી દીધી છે. હાલમાં અમલમાં આવેલા કોવિડ કર્ફ્યુનો સમયગાળો 3 જી ઓગસ્ટે સવારે 6 વાગ્યે સમાપ્ત થઈ રહ્યો હતો. જો કે, રાજ્યની વાત કરીએ તો, કોરોના સંક્રમણના કેસોમાં અગાઉની સરખામણીમાં નોંધપાત્ર ઘટાડો થયો છે, પરંતુ સરકારે સાવચેતી રાખીને કોરોના કર્ફ્યુ જારી રાખવાનો નિર્ણય કર્યો છે.

કોવિડ કર્ફ્યુ 3 ઓગસ્ટના સવારે 6 થી 10 ઓગસ્ટના સવારે 6 વાગ્યા સુધી લંબાવવા માટે માર્ગદર્શિકા જારી કરવામાં આવી છે. જે દેહરાદૂન પ્રદેશમાં પણ લાગુ અને અસરકારક રહેશે. હાલમાં રાજ્યમાં નવા કોરોના સંક્રમણના કેસોમાં નોંધપાત્ર ઘટાડો થયો છે.

ઉત્તરાખંડમાં સક્રિય કેસોની સંખ્યા 574 છે. રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના 37 નવા કેસ નોંધાયા છે. જ્યારે આ દરમિયાન 71 લોકો સ્વસ્થ થયા બાદ ઘરે ગયા છે. કોરોનાના સૌથી વધુ કેસ, દહેરાદૂનમાં 9 કેસ મળી આવ્યા છે. આ સિવાય ઉધમ સિંહ નગરમાં 6, અલમોડામાં 5, હરિદ્વાર, નૈનીતાલ, પૌરી અને પિથોરાગઢમાં 3-3, ચમોલીમાં બે, બાગેશ્વર, રૂદ્રપ્રયાગ અને ઉત્તરકાશીમાં એક-એક વ્યક્તિ સંક્રમિત હોવાનું જાણવા મળ્યું છે. ચંપાવત અને ટિહરીમાં સંક્રમણનો કોઈ નવો કેસ નથી.

સરકારે રેલ, હવાઈ અને માર્ગ દ્વારા રાજ્યમાં આવનારા એવા વ્યક્તિઓ કે જેની પાસે બંને વેક્સિન ડોઝના 15 દિવસ જુનું પ્રમાણપત્ર છે. ઉત્તરાખંડમાં તેમના માટે કોરોના પરીક્ષણ વિના પ્રવેશ જાળવી રાખવામાં આવ્યો છે, જ્યારે એક ડોઝ વાળા  વ્યક્તિઓ માટે હજુ 72 કલાક અગાઉથી RTPCR, ટ્રુનેટ અને એન્ટિજેન ટેસ્ટિંગ ફરજિયાત રહેશે.