Site icon Revoi.in

ફિલ્મ ‘દિલ બેચારા’ જોવાના ઈન્તજારમાં અનુપમ ખેરે કહ્યું -‘દરેક લોકની આખો નમ થશે’

Social Share

મશહુર ફિલ્મ અભિનેતા અનુપમ ખેર એ સુશાતંની ફિલ્મ દિલ બેચારા ને લઈને એક ખાસ મેસેજ આપ્યો છે,તેમણે એક પોસ્ટ શેર કરી છે જે વાંચીને દરેક લોકો ઈમોશનલ થયા છે.

ફિલ્મી દુનિયાનો આ દુનિયામાંથી ખોવાય ચૂકેલા સિતારા સુશાંત સિંહ રાજપુતની ફિલ્મ દિલ બિચારા થોડી વારમામં રિલીઝ કરવામાં આવશે,બોલિવૂડ જગતના યંગ એક્ટરની આ ખુબ સુરત અભિનયની ફિલ્મ હર કોઈ જોવા ઈચ્છે છે,આ ફિલ્મ જોઈને દરેક લોકો સુશાંતની યાદોમાં ગુમ થવા ઈચ્છે છે,જો કે સુશાંત આ ફિલ્મ જોવે તે પહેલા જ આ દુનિયામાંથી અલવિદા કહી ગયો છે પરંતુ તેની યાદમાં દેશના તમામ દર્શકો આ ફિલ્મને પ્રમોટ કરી રહ્યા છે.

દિલ બેચારા ફિલ્મને લઈને અનુપમ ખેર થયા ઈમોશનલ

ફિલ્મ અભિનેતા અનુપમ ખેરે આ ફિલ્મને લઈને એક ખાસ મેસેજ પોસ્ટ કર્યો છે,તેમણે સોશ્યલ મીડિયા પર બે ફોટો શેર કર્યા છે,એક ફોટોમાં તેઓ પોતે સુશાંત સાથે નજરે પડે છે,તો બીજા ફોટોમાં દિલ બેચારાનું પોસ્ટર જોવા મળે છે.તેમણે દર્શકોને ભાવુક કરનારી એક પોસ્ટ કરી છે.

અનુપમ ખેર એ દાવો કર્યો છે કે આ ફિલ્મ દર્શકો પોતાના દિલની આંખોથી નિહાળશે,તેમણે લખ્યું કે, “પ્યારા સુશાંત સિંહ રાજપુત, આજે તમારી ફિલ્મ દિલ બેચારા રિલીઝ થવા જઈ રહી છે,તમે ભૌતિક રીતે અમારા વચ્ચે નથી,અમને તે વાતનું હંમેશા દુખ રહેશે,તમારી આ ફિલ્મ અમે તમામ લોકો દિલથી આંખોથી જોઈશુ અને દરેક આંખોમાંથી આસુ નિકળશે, અમે તમને યાદ કરી રહ્યા છીએ”

અનુપમ ખેરની આ પોસ્ટ જોઈને દરેક લોકો ઈમોશનલ થઈ રહ્યા છે,આ પોસ્ટ પર આવેલા જવાબ જોઈને એ વાત તો ચોક્કસ છે કે દર્શકો આ ફિલ્મ જોવા માટે ખુબ ઉત્સાહીત છે,સોશ્યલ મીડિયા પર આ ફિલમ સાથએ જોડાયેલા કેટલાક હેસટૈગ પણ વાયરલ થઈ રહ્યા છે.ફિલ્મને ડાયરેક્ટ મૂકેશ છાબરા એ કર છે,ફિલ્મમાં સુશાંતચ લીડ રોલમાં છે તો બીજી તરફ સંજના સંધીની આ ડેબ્યૂ ફિલ્મ છે,

સાહીન-