દરેક માતાની ચિંતા હોય છે કે બાળક મોટૂ થાય પછી તેને શું ખવડાવવું ખાસ કરીને બાળક કેટલા મહિનાનું થાય ત્તેયારે તેને અનાજ આપવાનું શરુ કરવું ,
સામામન્ય રીતે બાળક 6 મહિના પુરા કરે ત્યાર બાદ તેને હળવો ખોરાક એટલે કે લિક્વિડ આપવાનું શરુ કરવું જોઈએ આ સાથે જ ખિચડી કે ભાત એકદમ નરમ બનાવીનેખવડાવવું જોઈએ.
બાળકને એવો ખોરાક આપવો જે હેલ્ઘી હોય અને તે ખોરાક સરળતાથી પચી શકે અને બાળકને નુકશાન નહી થાય, આમ તો દરેક માતા 6 મહિનાનું બાળક થાય એટલે તેને સાદો ખોરાક હળવે હળવે ખવડાવવાનું શરુ કરી છે,
ઓસામણ-
જો તમારું બાળક 6 મહિનાનું થાય ત્યારે તમે ઓસાવેલા ભાતનું પાણી 2 થી 3 ચમચી પીવડાવી શકો છો, જેનાથી તેનું પેટ ભરાશે.
કેળા –
આ સાથે જ બાળક 6 મહિનાનું થાય ત્યારથી તમે તેને કેળા ખવડાવી શકો છો. 6 મહિનાના બાળકને દિવસમાં એકવાર નાનું કેળુ અથવા અડઘુ ખવડાવી શકો. કેળા બાળકોને શરદી-ઉધરસથી પણ બચાવે છે.આ માટે કેળાને ક્રશ કરીને ખવડાવવું જોઈએ,
દાળ કઠોળનું પાણી –
બાળક 6 મગિનાનું થાય એટલે બાફેલી દાળને પાણી નાખીને ક્રશ કરી પાતળી બનનાવી દો. ત્યાર બાદ 4 થઈ 5 ચમચી દાળનું પાણી તમે તમારા બાળકને પીવડાવી શકો છો, આ માટે મગની દાળ બેસ્ટ છે,
ભાત-
જો તમને લાગે કે તમારું બાયળક ગૂધ પીધા પછી પણ વધુ ભૂખ્યું રહે છે ઓવી સ્થિતિમાં ભાતને બરાબર ક્રશ કરીને તમે દૂધ સાથે બાળકને ખવડાવી શકો છો.