Site icon Revoi.in

ગરમીમાં શેરડીનો રસ કેમ પીવો જોઈએ? જાણો કેટલાક કારણો

Social Share

ગરમીમાં લીક્વિડ ફૂડ પર વધારે ધ્યાન આપવું જોઈએ તેના વિશે તો મોટાભાગના જાણકારો અને ડોક્ટરો પણ કહેતા હોય છે.ગરમીમાં કેટલાક લોકોને ડિહાઈડ્રેશન થઈ જવાની સમસ્યા પણ થતી હોય છે અને તેના કારણે ક્યારેક મોટી સમસ્યા પણ થઈ જતી હોય છે આવામાં ગરમીથી બચવા માટે અનેક પ્રકારના ડ્રિંક બજારમાં ઉપલબ્ધ છે પણ શેરડીનો રસ જ કેમ પીવો જોઈએ તેના વિશે જાણવું જરૂરી છે.

શેરડીમાં અનેક પ્રકારના પૌષ્ટીક તત્વો રહેલા હોય છે અને તેના ફાયદા વિશે જો વાત કરવામાં આવે તો શેરડીનો રસ ગરમીમાં એનર્જી આપે છે. સાથે ડિહાઈડ્રેશનથી પણ બચાવે છે.

જો શેરડીના વધારે ફાયદા વિશે વાત કરવામાં આવે તો શેરડીના રસમાં ફાઈબરનું પ્રમાણ હોય છે, જે વધતા વજનને ઘટાડે છે. અને શરીરમાંથી તમામ ખરાબ કોલેસ્ટ્રોલને પણ ઘટાડે છે. શેરડીનો રસ દાંત મજબૂત બને છે અને તેનાથી દાંતમાં સડો થવાની શક્યતા પણ ઘટી જાય છે. શેરડીનો રસ ગરમીમાં એનર્જી આપે છે. સાથે ડિહાઈડ્રેશનથી પણ બચાવે છે.

પેટ સંબંધિત સમસ્યાથી પીડાતા લોકો શેરડીના રસનું સેવન કરી શકે છે. જો મહિલાઓ નિયમિત રીતે શેરડીનો રસ પીવે તો યુરિન ઈન્ફેક્શનનું જોખમ ઘટે છે.

ઉલ્લેખનીય છે કે શેરડીનો રસ કમળો અને યકૃતના રોગોની સારવારમાં અસરકારક માનવામાં આવે છે. શરીરમાં એનર્જી જાળવી રાખવા માટે શેરડીનો રસ પીવો જ જોઈએ.