Site icon Revoi.in

શા માટે સ્ત્રીઓ પગની આગંળીઓમાં પહેરે છે ચાંદીની વિછીંયા- જાણો તેના પાછળના આ કારણો

Social Share

પાયલ અને વિછિંયા સ્ત્રીઓના પરંપરાગત શૃંગારનો એક મોટો ભાગ છે. તે દરેક તીજ અને તહેવાર પર પહેરવામાં આવે છે. પગની સુંદરતાને નવો લુક આપે છે, પરંતુ શું તમે જાણો છે કે પગમાં ચાંદીની જ પાયલ કે વિછીંયા શા માટે પહેરવામાં આવે છે. સોનાની એંકલેટ્સ અને ગોલ્ડ નેટલ્સનો કોઈ ટ્રેન્ડ નથી. તેની પાછળ એક મોટું કારણ છે.

સોનાની અસર ગરમ અને ચાંદીની અસર ઠંડી ગણાય છે. સોનાના દાગીના માથાથી નીચા સુધી પહેરવામાં આવે છે અને ચાંદી પગમાં પણ પહેરવામાં આવે છે. આ સાથે જ કેટલાક આયુર્વેદ નિષ્ણાતોના મતે, વ્યક્તિનું માથું ઠંડું અને પગ ગરમ હોવા જોઈએ. માથા પર સોનું અને પગમાં ચાંદી પહેરવાથી માથામાંથી ઉત્પન્ન થતી ઉર્જા પગ સુધી પહોંચે છે અને ચાંદીથી ઉત્પન્ન થતી શીતળતા માથા સુધી પહોંચે છે. તેનાથી માથું ઠંડુ અને પગ ગરમ રહે છે.

જો આ બાબતે અનેક માન્યતાઓની વાત કરીએ તો માન્યતાઓ અનુસાર પગમાં ચાંદી પહેરવાથી અનેક બીમારીઓ દૂર રહે છે. આ દાગીનાના સમર્થકોના મતે, ચાંદીની પાયલ અથવા બિછીંયા એક્યુપ્રેશરનું કામ કરે છે.

જૂના હકીમો અને વૈદ્યો કહેતા હતા કે ચાંદીના ઘરેણા પગમાં પહેરવાથી કમર, એડી, ઘૂંટણના દર્દ અને હિસ્ટીરિયાના રોગોમાં રાહત મળે છે.

આ સાથે જ એવું માનવું હતું કે “પાયલ ચાંદીની હોવી જોઈએ કારણ કે તે હંમેશા પગ સાથે ઘસાતી હોય છે, જે સ્ત્રીઓના હાડકાં માટે ખૂબ જ ફાયદાકારક છે.

ચાંદી  પગના હાડકાંને મજબૂત બનાવે છે. બીજી તરફ, જો વિછીંયા ચાંદીની હોય પગની આગળીઓની શોભા વધવાની સાથે આગંળીઓમાં દુખાવો પણ નથી સાથે જ શરીરને ઠંડક આપે છે.” આ સાથે જ વિછીંયા હોર્મોનલ સંતુલન બનાવવાનું પણ કામ કરે છે.