Site icon Revoi.in

વર્લ્ડ બેંકનો અહેવાલ -કોરોનાકાળમાં અભ્યાસ સંસ્થાઓ બંધ રહેવાથી ભારતને અબજો ડોલરનું થશે નુકશાન

Social Share

સમગ્ર વિશ્વમાં કોરોનાકાળ ચાલી રહ્યો છે,કોરોનાના વધતા જતા કેસને લઈને વિશ્વભરમાં ને ભારતમાં લોકડાઉન કરવાની ફરજ પડી હતી,ત્યાર બાદ તમામ શાળાઓ ,કોલેજો અને અનેક શૈક્ષિક સંસ્થાઓ પણ બંધ રાખવામાં આવી હતી, જેને લઈને દેશને આર્થિક રીતે મોટૂ નુકશાન વેછવું પડ્યું છે.

સ્કૂલ લાંબા સમય સુધી બંધ રહેવાથી ભારતને 40 અબજ ડોલરનું નુકસાન થનાર છે, દક્ષિણ એશિયામાં લગભગ 62 અબજ ડોલરનું આ બાબતે નુકસાન થવા જઈ રહ્યું છે. આટલા લાંબા સમય ગાળા બાદ પણ જો હવે સ્કૂલ નહી ખુલે તો આ નુકશાનનો આકંડો તબેવગણો થાય તેમામં નવી વાત નહી હોય

વર્લ્ડ બેંક દ્વારા રજુ કરવામાં આવેલા એક રિપોર્ટમાં આ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, વર્લ્ડ બેંકે બીટેન ઓર બ્રોકન નામથી એક ખાસ પ્રકારનો અભ્યાસ રિપોર્ટ આ રિપોર્ટમાં વર્લ્ડ બેંક તરફથી એવો દાવો કરવામાં આવ્યો છે કે, ભારતમાં કોરોના વાયરસની મહામારીને કારણે તમામા અભ્યાસ બંધ છે, જેનાથી દેશ ભારતને 40 અબજ ડોલરનું નુકસાન થાય તો એ વાત નવી નહી હોય.

સાઉથ એશિયા દેશોમાં પણ શિક્ષણ બંધ રહેવાથી 62.2 અબજ ડોલરનું નુકસાન થાય  તેવી શક્યતાઓ સેવાઈ રહી. જો હજુ આવનારા સમયમાં પણ શાળાઓ બંધ રહેશે તો નુકસાનીનો આંકડો 88 અબજ ડોલરને પાર કરે તો નવી નહી હોય.

આ  નુકશાન બાબતે ભારત મોખરે છે આ સાથે જ આ નુકશાનની અસર દેશના જીડીપી ગ્રોથમાં પમ દેખાઈ શકે છે, ઘણા દેશની આર્થિક સ્થિતિ પર આ કારણ હાવિ બનશે.આ સાથે જ આ રુપોરેટમાં બાળકોને લઈને પણ ઉલ્લખ કરવામાં આવ્યો છે, કે કોરના કાળમાં બાળકો પર ઘણી અસર પડી રહી છે,બાળકોના અભ્યાસ પર માઠી સર પડેલી જોવા મળી શકે છે , 55 લાખ જેટલા બાળકો અભ્યાસ છોડી શકે તેવી દહેશત વર્તાઈ રહી.