Site icon Revoi.in

ઝાંઝીબારના રાષ્ટ્રપતિ ડૉ. હુસૈન અલી મ્વિનીએ ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણન સાથે મુલાકાત કરી

Social Share

નવી દિલ્હી, 19 જુલાઈ 2026: ઝાંઝીબારના રાષ્ટ્રપતિ અને રિવોલ્યુશનરી કાઉન્સિલના અધ્યક્ષ ડૉ. હુસૈન અલી મ્વિનીએ આજે ​​નવી દિલ્હીમાં ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણન સાથે મુલાકાત કરી. ઝાંઝીબાર એ તાન્ઝાનિયાનો અર્ધ-સ્વાયત્ત પ્રદેશ છે; તેનું પોતાનું બંધારણ, રાષ્ટ્રપતિ, પ્રતિનિધિ સભા અને ધ્વજ છે. બંને નેતાઓએ ભારત-તાન્ઝાનિયા સંબંધોના વિવિધ પાસાઓની સમીક્ષા કરી અને ભવિષ્યના સહયોગ માટેની નવી તકો અંગે ચર્ચા કરી. વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે પણ આજે સવારે રાષ્ટ્રપતિ મ્વિની સાથે મુલાકાત કરી હતી.

રાષ્ટ્રપતિ ડૉ. હુસૈન અલી મ્વિની ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણનના આમંત્રણ પર ભારતની ચાર દિવસીય સત્તાવાર મુલાકાતે છે. તેમની સાથે તેમના પત્ની તેમજ મંત્રીઓ અને વરિષ્ઠ અધિકારીઓનો સમાવેશ કરતું ઉચ્ચ-સ્તરીય પ્રતિનિધિ મંડળ પણ છે.

વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, ‘ગ્લોબલ સાઉથ’ના ભાગીદારો તરીકે ભારત અને તાન્ઝાનિયા વચ્ચે લાંબા સમયથી ગાઢ અને મૈત્રીપૂર્ણ સંબંધો રહ્યા છે. બંને દેશો વિવિધ ક્ષેત્રોમાં સહયોગ સાધી રહ્યા છે. મંત્રાલયે જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિ મ્વિન્યીની મુલાકાત દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત બનાવવામાં અને પરસ્પર લાભ માટેના સહયોગને નવી ગતિ આપવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.

Exit mobile version