Site icon Revoi.in

પ્રજાસત્તાક દિને પાકિસ્તાનની નાપાક હરકત, પુંછમાં શસ્ત્રવિરામ ભંગ

Social Share

ભારતના પ્રજાસત્તાક દિન પર પણ પાકિસ્તાન પોતાની નાપાક હરકતોમાંથી બાજ આવ્યું નથી. શનિવારે સવારે પાકિસ્તાને એલઓસી પર પુંછ સેક્ટરમાં શસ્ત્રવિરામ ભંગ કર્યો હતો.

જાણકારી મુજબ, પાકિસ્તાની સેનાએ સવારે અચાનક પુંછ સેક્ટરના મનકોટમાં ભીષણ ફાયરિંગ શરૂ કર્યું હતુ.

ભારતીય સેનાએ પણ પાકિસ્તાનની હરકતનો આકરો જવાબ આપ્યો છે. બંને તરફથી ભારે ગોળીબાર થયો છે. જો કે છેલ્લા અહેવાલ સુધી જાનહાનિના સમાચાર નથી.