Site icon Revoi.in

દિલ્હીમાં ઝાખીરા ફ્લાયઓવર પાસે માલગાડીના 10 ડબા પાટા પરથી ઉતર્યા, રેલ વ્યવહારને એસર

Social Share

દિલ્હીઃ દિલ્હીમાં ઝાખીરા ફ્લાયઓવર પાસે માલગાડીના 10 ડબા પાટા પરથી ઉતરી ગયા હતા. આ ઘટનાની જાણ થતા જ ઉચ્ચ અધિકારીઓ સહિતની રેલવેની ટીમ તથા પોલીસ અને ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને બચાવ કામગીરી શરૂ કરી હતી. સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાની થઈ ન હતી. માલગાડીના ડબ્બા ટ્રેક ઉપરથી ઉતરી પડતા ટ્રેન વ્યવહારને અસર પડી હોવાનું જાણવા મળે છે.

દિલ્હીમાં જખીરા ફ્લાયઓવર પાસે સવારે આ રેલવે દુર્ઘટના સર્જાઈ હતી. મુંબઈથી ચંદીગઢ જઈ રહેલ માલગાડીના 10 ડબા પાટા પરથી ઉતરી ગયા હતા. દુર્ઘટનામાં કોઈ જાનહાનિના અહેવાલ નથી. રેલવેની ટીમ ડબાઓને સીધા કરવાનો પ્રયાસ કરવાની સાથે ટ્રેકનું સમારકામ પણ શરુ કર્યું હતું. સરાઈ રોહિલ્લા રેલવે સ્ટેશન નજીક આ દુર્ઘટના સર્જાઈ હતી. રેલવે ડી.પી.સી કે.પી.એસ મલ્હોત્રાએ જણાવ્યું કે, ડબા પાટા પરથી ઉતરી જવાથી કોઈ તોડફોડ કે નુકશાન થવાની કોઈ શક્યતા નથી.