1. Home
  2. Tag "delhi"

દિલ્હીમાં ખરાબ હવામાનના કારણે 15 ફ્લાઈટ્સ ડાયવર્ટ કરાઈ

ફલાઈટ્સને જયપુર, અમૃતસર, લખનૌ, મુંબઈ અને ચંદીગઢ ડાયવર્ટ કરાઈ ફ્લાઈટ્સ ડાયવર્ટ કરવામાં મુસાફરોની મુશ્કેલીઓ વધી આગામી ચાર-પાંચ દિવસમાં પૂર્વ ભારતમાં તાપમાનનો પારો વધુ ઊંચે જશે નવી દિલ્હીઃ દિલ્હીમાં ખરાબ હવામાનનાં કારણે 15 ફ્લાઇટ્સ ડાયવર્ટ કરવામાં આવી હતી. જેમાંથી નવ ફ્લાઈટને જયપુર, બે અમૃતસર, બે લખનૌ, એક મુંબઈ અને એક ચંદીગઢ ડાયવર્ટ કરવામાં આવી હતી.  આગામી […]

બુલેટ ટ્રેનથી જવાશે દિલ્હીથી અમદાવાદ,ક્યાં-ક્યાં હશે સ્ટેશન, સમજો આખો પ્લાન અને રુટ

નવી દિલ્હી: ભાજપે પોતાના ઘોષણાપત્રમાં દેશના ચારેય ક્ષેત્રો પૂર્વ, ઉત્તર અને દક્ષિણ માટે બુલેટ ટ્રેન ચલાવવાનો વાયદો કર્યો છે. હાલ અમદાવાદથી મુંબઈ વચ્ચે બુલેટ ટ્રેનની યોજના પર કામ ચાલી રહ્યું છે. તેના સિવાય રેલવે હવે દિલ્હીથી અમદાવાદની બુલેટ ટ્રેન ચલાવવાનો પ્લાન પણ તૈયાર કરી રહ્યું છે. આ ગુજરાતની બીજી હાઈસ્પીડ ટ્રેન હશે. આ બુલેટ ટ્રેન […]

દિલ્હી સરકારને પાડી રાષ્ટ્રપતિ શાસન લાદવાનું કાવતરું ઘડવાનો આતિશીએ લગાવ્યો ગંભીર આરોપ

નવી દિલ્હી: દિલ્હી સરકારના મંત્રી અને આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા આતિશી સિંહે આજે આરોપ લગાવ્યો હતો કે દિલ્હીની ચૂંટાયેલી સરકારને તોડી પાડવા માટે ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે. તેમણે આરોપ લગાવ્યો કે, દિલ્હી સરકારના અધિકારીઓએ આચારસંહિતાના બહાને મીટિંગમાં આવવાનું બંધ કરી દીધું છે. 20 વર્ષ જૂના કેસને લઈને દિલ્હી સીએમના અંગત સચિવને બરતરફ કરવામાં […]

જેલમાં અઠવાડિયામાં પાંચ વખત વકીલોને મળવાની કેજરિવાલની માંગણી કોર્ટે ફગાવી

નવી દિલ્હીઃ દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટી (AAP)ના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલને રાઉઝ એવન્યુ કોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે. જેલમાં વકીલોને અઠવાડિયામાં પાંચ વખત મળવાની માંગ કરતી સીએમ કેજરીવાલની અરજી કોર્ટે ફગાવી દીધી છે. દિલ્હી એક્સાઇઝ પોલિસી કેસમાં લાંબી પૂછપરછ બાદ 21 માર્ચે ED દ્વારા સીએમ કેજરીવાલની ધરપકડ કરવામાં આવી હતી. રિમાન્ડ પૂર્ણ થતા […]

રામાયણના ગુણગાન કરવા લાગ્યા કન્હૈયા કુમાર, કહ્યુ- રામલહેર સારી વાત

નવી દિલ્હી: જેએનયૂની છાત્ર રાજનીતિ દરમિયાન સેક્યુલર રાજનીતિની વાત કરનારા કન્હૈયા કુમાર હવે રામાયણના ગુણગાન કરવા લાગ્યા છે. પહેલા ચર્ચા હતી કે તેઓ બિહારના બેગૂસરાયથી કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડશે. જો કે ગઠબંધનની ફોર્મ્યુલા હેટળ આ બેઠક લેફ્ટ પાસે ચાલી ગઈ. હવે ચર્ચા છે કે તેમને દિલ્હીમાં મનોજ તિવારી સામે કોંગ્રેસ ઉમેદવાર બનાવે તેવી શક્યતા […]

બિહારમાં મળ્યો નહીં મોકો, કન્હૈયા કુમારને હવે દિલ્હીથી લડાવવાની તૈયારીમાં કૉંગ્રેસ

નવી દિલ્હી: જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના પૂર્વ અધ્યક્ષ કન્હૈયા કુમારને તે સમયે મોટો આંચકો લાગ્યો હતો, જ્યારે બિહારમાં મહાગઠબંધનના નેતૃત્વ કરનારી લાલુ યાદવની પાર્ટી આરજેડીએ બેગૂસરાયની બેઠક સીપીઆઈના ખાતામાં આપી દીધી. તેની સાથે જ 2019માં ગિરિરાજસિંહની વિરુદ્ધ ચૂંટણી મેદાનમાં ઉભેલા કન્હૈયા કુમારને નિરાશા હાથ લાગી. હવે ખબર આવી રહી છે કે કોંગ્રેસ પાર્ટી પોતાના આ સ્ટાર […]

મનીષ સિસોદિયાને આજે પણ મળી નહીં રાહત, કોર્ટે 18 એપ્રિલ સુધી વધારી જ્યુડિશયલ કસ્ટડી

નવી દિલ્હી: દિલ્હી દારૂ નીતિ ગોટાળા સાથે જોડાયેલા મની લોન્ડ્રિંગ કેસમાં એરેસ્ટ કરાયેલા દિલ્હીના ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના નેતા મનીષ સિસોદિયાને આજે પણ કોઈ રાહત મળી શકી નથી. રાઉજ એવેન્યૂ કોર્ટે મનીષ સિસોદિયાની જ્યુડિશિયલ  કસ્ટડી 18 એપ્રિલ સુધી લંબાવી દીધી છે. સ્પેશયલ જજ કાવેરી બાવેજાએ પહેલા આપવામાં આવેલી જ્યુડિશિયલ કસ્ટડીની અવધિના સમાપ્ત […]

દિલ્હી પોલીસી કેસમાં કેજરિવાલને જેલમાં મોકલાયાં, તપાસમાં સહયોગ ના આપતા હોવાનો EDનો આરોપ

નવી દિલ્હીઃ દિલ્હી લીકર પોલીસી કેસમાં રિમાન્ડ પુરા થતા ઈડીએ દિલ્હીના મુખ્યમંત્રીને પોલીસ બંદોબસ્ત વચ્ચે કોર્ટમાં રજુ કર્યાં હતા. અદાલતે કેજરિવાલને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપ્યાં હતા. દરમિયાન કોર્ટમાં ઈડીએ કેજરિવાલ ઉપર આક્ષેપ કર્યો હતો કે, તેઓ કેસની તપાસમાં સહયોગ આપી રહ્યાં નથી. દિલ્હી લીકર પોલીસી કેસમાં ઈડીએ આજે મુખ્યમંત્રી અરવિંદ કેજરિવાલને રાઉજ એવન્યુ કોર્ટમાં રજુ […]

તેરા ગમ, મેરા ગમ: સુનીતા કેજરીવાલને મળ્યા હેમંત સોરેનના પત્ની કલ્પના

નવી દિલ્હી: જેલમાં બંધ ઝારખંડના ભૂતપૂર્વ મુખ્યમંત્રી હેમંત સોરેનના પત્ની કલ્પના સોરેન દિલ્હી પહોંચ્યા છે. તેઓ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના પત્ની સુનીતા કેજરીવાલ સાથે મુલાકાત કરવા માટે મુખ્યમંત્રી નિવાસ ગયા છે. તેમની સથે દિલ્હના મંત્રી અને આમ આદમી પાર્ટીના નેતા સૌરભ ભારદ્વાજ પણ છે. મહત્વપૂર્ણ છે કે સીએમ કેજરીવાલ ઈડીની કસ્ટડીમાં છે. તેમને કથિત દારુ […]

કેજરીવાલ પર અમેરિકાની પ્રતિક્રિયાથી નારાજ થયું ભારત, MEAએ અમેરિકાના રાજદૂતને 45 મિનિટ પુછયા સવાલ

નવી દિલ્હી : દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ પર અમેરિકાની ટીપ્પણીને લઈને ભારતે આકરો વિરોધ વ્યક્ત કર્યો છે. કેજરીવાલ પર ટીપ્પણી બાદ ભારતે બુધવારે દિલ્હીમાં અમેરિકાના દૂતાવાસના કાર્યવાહક ઉપપ્રમુખ ગ્લોરિયા બર્બેનાને તલબ કર્યા હતા. ગ્લોરિયા સાથે વિદેશ મંત્રાલયના અધિકારીઓની બેઠક લગભગ 40થી 45 મિનિટ ચાલી હતી. તે દરમિયાન ભારતે સ્પષ્ટપણે કહ્યું છે કે આ આંતરિક […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code