Site icon Revoi.in

અધીર રંજન ચૌધરી, સુધીર ગુપ્તા સહિત 13 સાંસદો સંસદ રત્ન એવોર્ડ માટે નામાંકિત, PM મોદીએ અભિનંદન પાઠવ્યા

Social Share

દિલ્હી:કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરી, આરજેડીના મનોજ ઝા, સીપીઆઈ(એમ)ના જોન બ્રિટાસ સહિત 13 સાંસદોને સંસદ રત્ન સન્માન 2023 માટે નામાંકિત કરવામાં આવ્યા છે.આ અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, સંસદ રત્ન પુરસ્કારથી સન્માનિત સાંસદ સાથીદારોને અભિનંદન.તેઓ તેમની સમૃદ્ધ આંતરદૃષ્ટિથી સંસદીય કાર્યવાહીને સમૃદ્ધ બનાવવાનું ચાલુ રાખે.” પ્રાઇમ પોઈન્ટ ફાઉન્ડેશન દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, આ પુરસ્કારની સ્થાપના કરનાર પ્રાઇમ પોઈન્ટ ફાઉન્ડેશન દ્વારા જારી કરાયેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, તેર સાંસદોને આ સન્માન માટે નામાંકિત કરવામાં આવ્યા છે, જેમાં લોકસભાના આઠ, રાજ્યસભાના પાંચનો સમાવેશ થાય છે.તેમાં ત્રણ પૂર્વ સાંસદોનો પણ સમાવેશ થાય છે.

કેન્દ્રીય મંત્રી અર્જુન રામ મેઘવાલની અધ્યક્ષતામાં અને પૂર્વ મુખ્ય ચૂંટણી કમિશનર એસ કૃષ્ણમૂર્તિની સહ-અધ્યક્ષતાવાળી સમિતિએ વિશેષ પુરસ્કારોની શ્રેણીમાં બે વિભાગ-સંબંધિત સ્થાયી સમિતિના સભ્યો અને એક પ્રતિષ્ઠિત નેતાને પણ નામાંકિત કર્યા છે.આ સમિતિમાં પ્રતિષ્ઠિત સાંસદો અને નાગરિક સમાજના સભ્યોનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો.નાણા પરની સમિતિ (ભાજપના જયંત સિન્હાની અધ્યક્ષતામાં) અને પરિવહન, પર્યટન અને સંસ્કૃતિ પરની સમિતિ (વાયએસઆર કોંગ્રેસના વી વિજયસાઈ રેડ્ડીની અધ્યક્ષતા)ને સંસદીય સમિતિમાં નામાંકિત કરવામાં આવી છે.

આ સન્માન માટે નામ આપવામાં આવેલા સાંસદોમાં વિદ્યુત બરન મહતો (ભાજપ, ઝારખંડ), ડૉ. સુકાંત મજુમદાર (ભાજપ, પશ્ચિમ બંગાળ), કુલદીપ રાય શર્મા (કોંગ્રેસ, આંદામાન અને નિકોબાર), ડૉ.હીના વિજય કુમાર ગાવિત, ગોપાલ શેટ્ટી (ભાજપ,મહારાષ્ટ્ર)નો સમાવેશ થાય છે. સુધીર ગુપ્તા (ભાજપ, મધ્યપ્રદેશ), ડો. અમોલ રામસિંહ કોલ્હે (એનસીપી, મહારાષ્ટ્ર).તેઓને 17મી લોકસભામાં તેમના પ્રદર્શનના આધારે વિવિધ કેટેગરી હેઠળ નામાંકિત કરવામાં આવ્યા છે, જેમાં પ્રશ્નો, ખાનગી બિલ, ચર્ચામાં ભાગ લેવા વગેરેનો સમાવેશ થાય છે.આ સિવાય રાજ્યસભામાંથી વર્તમાન સભ્યોમાં જોન બ્રિટાસ, મનોજ ઝા અને ફૌઝિયા ખાનને નોમિનેટ કરવામાં આવ્યા છે. તે જ સમયે, વિશંભર નિષાદ અને છાયા વર્માને નિવૃત્ત સાંસદોની શ્રેણીમાં નામાંકિત કરવામાં આવ્યા છે.