Site icon Revoi.in

અરુણાચલ પ્રદેશમાં ભૂકંપના આંચકા અનુભવાયા, 3.6 ની તીવ્રતા નોંધાઈ

Social Share

ઇટાનગર : અરુણાચલ પ્રદેશના પશ્ચિમ કામેંગમાં શુક્રવારે વહેલી સવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.6 નોંધાઈ હતી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીના જણાવ્યા અનુસાર ભૂકંપના આંચકાથી આજે સવારે 4:53 વાગ્યે ધરતી ધ્રૂજવા પામી હતી. ભૂકંપના આ આંચકાઓને કારણે હજુ સુધી કોઈ જાન-માલનું નુકસાન થયું નથી. હાલ જે ભૂકંપના આંચકા અનુભવાયા છે તેના કારણે લોકોમાં ભયનો માહોલ પ્રસરી ગયો છે.

આ પહેલા રવિવારે જમ્મુ-કાશ્મીરના રિયાસી જિલ્લામાં 2.5 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. ડિઝાસ્ટર મેનેજમેન્ટના ડિરેક્ટર આમીર અલીએ જણાવ્યું હતું કે,સવારે 6.21 વાગ્યે કટરાથી 82 કિમી પૂર્વમાં ભૂકંપ આવ્યો હતો.અને ક્યાંયથી પણ નુકસાન થયાના કોઈ સમાચાર નથી.

આ બાબતે જાણકારોનું માનવું છે કે જમીનની અંદર આવેલી પ્લેટોમાં હલનચલન થવાના કારણે ભૂકંપ આવે છે અને જમીનમાં ધ્રુજારી ઉત્પન થવાના કારણે આંચકાઓ અનુભવાય છે. જમીનની અંદર આવેલી પ્લેટો છેલ્લા કેટલાક સમયથી વધારે સક્રિય થઈ હોવાના કારણે આ પ્રકારની ઘટનાઓ બને છે.