Site icon Revoi.in

સપાના નેતા મુલાયમ સિંહના નિધનને લઈને ઉત્તરપ્રેદશમા 3 દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર – આવતી કાલે થશે અંતિમ સંસ્કાર

Social Share

લખનૌઃ- ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને સમાજવાદી પાર્ટીના સંસ્થાપક એવા જાણીતા નેતા મુવલાયમ સિંહ યાદવે આજરોજ સવારે અંતિમ શ્વાસ લીધા ચે તેનના નિધનને લઈને સમગ્ર રાજ્યમાં શોકનો માહોલ છવાયો છે ત્યારે રાજ્યમાં ત્રણ દિવસનો શોક પણ જાહેર કરવામાં આવ્યો છે.

આ સાથે જ 82 વર્ષની વયે નિધન પામેલા નેતાના અંતિમ સંસ્કાર આવતી કાલે એટલે 11 ઓક્ટોબરના રોજ કરવામાં આવષે, જાણકારી પ્રમાણે આવતી કાલે  બપોરે 3 કલાકે રાજકિય સમ્માનની સાથે  સૈફઈમાં  અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

સમાજવાદી પાર્ટીના મુલાયમ સિંહ યાદવને શ્વાસ લેવામાં તકલીફ અને લો બ્લડ પ્રેશરની ફરિયાદ બાદ 22 ઓગસ્ટના રોજ મેદાંતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જો કે તેમની તબિયતમાં સુધારો થતો ન હતો અને 1 ઓક્ટોબરની રાત્રે તેમને આઈસીયુમાં દાખલ કરાયા  જ્યાં ડૉક્ટરોની એક પેનલ સારવાર કરી રહી હતી.જયાં આજે સવારે તેમનું નિધન થયું છે

પીએમ નરેન્દ્ર મોદીએ તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો

આ પહેલા મુલાયમ સિંહ યાદવની પત્ની સાધના ગુપ્તાનું આ વર્ષના જુલાઈ મહિનામાં અવસાન થયું હતું. ફેફસામાં ઈન્ફેક્શનના કારણે ગુરુગ્રામની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર બાદ તેમનું મોત થયું હતું. સાધના મુલાયમ સિંહ યાદવની બીજી પત્ની હતી. તેમની પ્રથમ પત્ની માલતી દેવીનું 2003માં નિધન થયું હતું.